રથયાત્રામાં અગ્નિકાંડ-બોટકાંડના પીડિતોનો અવાજ દબાવવા પોલીસ મેદાને, પાપ છુપાવવા બેનરો હટાવ્યાં!

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
રથયાત્રામાં અગ્નિકાંડ-બોટકાંડના પીડિતોનો અવાજ દબાવવા પોલીસ મેદાને, પાપ છુપાવવા બેનરો હટાવ્યાં! 1 - image


Jagannath Rath Yatra in Bhavnagar: ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા અષાઢી બીજ (સાતમી જુલાઈ)ના પાવન દિવસે શહેરના માર્ગો પર નીકળી છે. આ રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડ અને બોટકાંડના બેનરો સાથે ટ્રક નીકળ્યો હતો. પરંતુ સરદારનગર નજીક આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા હતી. આ બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડથું થયું છે. પોલીસ દ્વારા આ પાપ છુપાવવા બેનરો હટાવવામાં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો ટેબ્લો જોઈ પોલીસ દોડતી થઈ, બેનરો ઉતરાવતા લોકોમાં રોષ

અષાઢી બીજ નિમિતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ખેડા અને અરવલ્લી સહિતના જિલ્લામાં રથયાત્રા ચાલી રહી છે, ત્યારે ભાવનગરના સુભાષનગરથી શરૂ થયેલી ભગવાન જગન્નાથની 39મી રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો ટેબ્લો જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાવનગર પોલીસ રાજકોટ અગ્નિનું કાંડનું પાપ છુપાવવાના પ્રયાસો કર્યો હતો. પોલીસે ગેમ ઝોન અગ્નિકાંડના બેનરો ચાલુ રથયાત્રાએ ઉતારી દીધા હતા. પોલીસે લોકોને વાચા આપતા બેનરો ઉતારી લેતા લોકોમાં રોષ ભભુક્યો હતો.

રથયાત્રામાં અગ્નિકાંડ-બોટકાંડના પીડિતોનો અવાજ દબાવવા પોલીસ મેદાને, પાપ છુપાવવા બેનરો હટાવ્યાં! 2 - image

રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત

ઉલ્લેખનીય છે કે, રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 27 લોકોના મૃત્યું નીપજ્યાં હતા. આ બનાવથી આખું ગુજરાત હચમચી ગયું હતું.  આ સમગ્ર ઘટનાની SIT દ્વારા તપાસ કરવામાં આવી રહ્યા છે. 

રથયાત્રામાં અગ્નિકાંડ-બોટકાંડના પીડિતોનો અવાજ દબાવવા પોલીસ મેદાને, પાપ છુપાવવા બેનરો હટાવ્યાં! 3 - image


Google NewsGoogle News