વર્ષમાં એક જ વાર અખાત્રીજે સુદામા મંદિરનાં ગર્ભગૃહમાં ભાવિકોને અપાતો પ્રવેશ
નિજ મંદિરમાં 30મીએ ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળશે : વહેલી સવારે મહાઆરતી સાથે ધ્વજારોહણ કરાશે
પોરબંદર, : પોરબંદરના સુદામા મંદિરમાં અખાત્રીજનાં દિવસે વર્ષમાં માત્ર એક જ વખત નિજ મંદિરમાં પ્રવેશ અપાય છે. સુદામાજી મંદિરને તા. ૩૦મીને અખાત્રીજના દિવસે વહેલી સવારે સાત વાગ્યાથી ભક્તોને નિજ મંદિરમાં જઇને ચરણ સ્પર્શ કરવાની તક મળશે.
પ્રાચીનકાળથી જ પ્રસિધ્ધ અને ભગવાન શ્રીકૃષ્ણના એકમાત્ર મિત્ર એવા શ્રીસુદામાજીના વિશ્વમાં એકમાત્ર મંદિર ખાતે વૈશાખ સુદ ત્રીજ એટલેકે અખાત્રીજે મંદિરના ગર્ભગૃહમાં જઇને શ્રીસુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળે છે. આ વર્ષે પણ તા. 30-4-2025 બુધવારે વહેલી સવારે 7થી રાત્રે 8 વાગ્યા સુધી નિજ મંદિરમાં જઇને સુદામાજીના ચરણસ્પર્શ કરી શકે તે રીતે દરેક ભકતજનો તેઓ લ્હાવો લઇ શકશે. આ અખાત્રીજના ખાસ દિવસે વહેલી સવારે મહાઆરતી સાથે ધ્વજારોહણ પણ કરવામાં આવશે.
પ્રાચીન ધાર્મિક તિહાસમાં આ દિવસનું મહત્વ જોઇએ તો શ્રી સુદામાજી ભગવાન શ્રીકૃષ્ણને ભેટ સ્વરૂપે તાંદુલની પોટલી લઇને વેરાવળ માટે જઇ રહ્યા હોય અને ભગવાન શ્રીકૃષ્ણએ શ્રી સુદામાજીના ચરણ ધોયા હતા અને ચરણસ્પર્શ કર્યા હતા તેથી તમામ ભકતજનો આ દિવસે તેમને તાંદુલની ભેટ લઇને વાળવવા માટે આવતા હોય છે અને આ પ્રસંગે દરેક ભકતજનોને મંદિરની પરંપરા મુજબ શ્રી સુદામાજીના ચરણસ્પર્શ કરવાનો લ્હાવો મળે છે.