Get The App

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ, જાણો કોને ક્યાં સ્થાન મળ્યુ

અગાઉ મંત્રીઓને જિલ્લાઓમાં પ્રભારી મંત્રી તરીકેની નિમણૂંક કરવામાં આવી હતી

વિજય નેહરા બનાસકાંઠાના તો મુકેશ કુમાર અમદાવાદના પ્રભારી સચિવ બન્યા

Updated: May 8th, 2023


Google NewsGoogle News
ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ, જાણો કોને ક્યાં સ્થાન મળ્યુ 1 - image



ગાંધીનગરઃ ગુજરાતમાં પોલીસ અધિકારીઓ બદલીઓના આદેશની રાહ જોઈને બેઠા છે. ત્યારે રાજ્યના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરવામાં આવી છે. વહીવટી કૂશળતાને લઈને પ્રભાવી સચિવ તરીકે રાજ્ય સરકારે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપી છે.

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ, જાણો કોને ક્યાં સ્થાન મળ્યુ 2 - image

અમદાવાદ જિલ્લાના પ્રભારી સચિવ મુકેશ કુમાર
અગાઉ રાજ્યના જિલ્લાઓમાં મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. હવે સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. અમદાવાદમાં પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપવામાં આવી છે.જ્યારે મંત્રી તરીકે ઋુષિકેશ પટેલને જવાબદારી સોંપાઈ છે. તેવી જ રીતે અમરેલીમાં સંદિપકુમારને પ્રભારી સચિવ બનાવાયા છે. તો પુરૂષત્તમ સોલંકીને પ્રભારી મંત્રી તરીકે નિમવામાં આવ્યાં છે.

ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ, જાણો કોને ક્યાં સ્થાન મળ્યુ 3 - image

રાજકોટમાં રાહુલ ગુપ્તાને જવાબદારી સોંપાઈ
રાજકોટમાં રાધવજી પટેલને પ્રભારી મંત્રી અને રાહુલ ગુપ્તાને પ્રભારી સચિવ બનાવાયા છે. સુરતમાં કનુભાઈ પ્રભારી મંત્રી છે તો આર બી બારડને પ્રભારી સચિવ તરીકે નિમવામાં આવ્યાં છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને વડોદરાના પ્રભારી મંત્રી તરીકેની ફરજ સોંપાઈ છે. જ્યારે વિનોદ આર રાવને પ્રભારી સચિવ તરીકે નિમવામાં આવ્યાં છે. જામનગરમાં મુળુભાઈ બેરાને પ્રભારી મંત્રી અને અનુપમ આનંદને પ્રભારી સચિવ તરીકેનો ચાર્જ સોંપાયો છે. 



Google NewsGoogle News