ભારતી સાથે મારે પ્રેમ સંબંધ છે, હું તેની સાથે લગ્ન કરવાનો છું તું અહીં આવ્યો તો તને મારી નાખીશું

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News
ભારતી સાથે મારે પ્રેમ સંબંધ છે, હું તેની સાથે લગ્ન કરવાનો છું તું અહીં આવ્યો તો તને મારી નાખીશું 1 - image


Image Source: Freepik

પાદરામાં હલકારાના ફળિયામાં રહેતા કરણસિંહ સુરેશસિંહ દરબારની અઢી મહિના પહેલા નરસિંહપુરા ગામમાં રહેતી ભારતી સાથે સગાઈની વાત ચાલતી હતી જેથી કરણસિંહ ભારતીને મળવા માટે તેના ગામ નરસિંહપુરા અને વડુ જતો હતો તે વખતે નરસિંહપુરા ગામમાં રહેતો રાકેશ દિનેશ પઢિયાર રસ્તામાં મળ્યો અને કહેલ કે તું અમારા ગામમાં વારંવાર કેમ આવે છે ભારતી સાથે તારે શું સંબંધ છે જેથી કરણ જણાવેલ કે ભારતી સાથે સગાઈ કરવાની છે એટલે હું તેને મળવા આવું છું દરમિયાન રાકેશ ઉશ્કેરાઈ ગયો હતો અને જણાવેલ કે ભારતી સાથે મારે ઘણા સમયથી પ્રેમ સંબંધ છે મારે તેની સાથે લગ્ન કરવાના છે હવે પછી અમારા ગામમાં ભારતીને મળવા આવ્યો તો તને જીવતો નહીં રહેવા દઉં તેવી ધમકી આપી હતી. ત્યારબાદ તા. 28ના રોજ સવારે કરણના કાકાના દીકરાની સાસરી નરસિંહપુરા થતી હોય જેથી કરણસિંહ સહિત અન્ય લોકો નરસિંહપુરા જતા હતા ત્યારે રસ્તામાં વડુ ગામે રાકેશ મળી ગયો હતો અને ઝઘડો થતાં કરણસિંહ તેમજ અન્ય લોકો પોતાના ઘેર પરત ફર્યા હતા. ત્યારબાદ રાત્રે દિપક ઉર્ફે પાકુનો કરન્સી પર ફોન આવ્યો હતો અને જણાવેલ કે નરસિંહપુરાથી કલ્પેશનો ફોન આવ્યો હતો અને અમે અડધો કલાકમાં અલખધણી સોડા શોપ પર આવીએ છીએ તમે પણ ત્યાં આવો તેવી વાત કરી હતી. બાદમાં કરણ તેમજ તેના મિત્રો પાદરા વડોદરા રોડ પર આવેલ નારાયણ પાવરટેક કંપની સામે સોડા શોપ પર ગયા હતા અને ત્યાં રાકેશ તેમજ તેના મિત્રો મળ્યા હતા બાદમાં તારી સાથે ખાનગીમાં વાત કરવી છે તેમ કહી હેલીપેડવાળી ખુલ્લી જગ્યાએ કરણને લઈ જઈ તેની સાથે ઝઘડો કરી ઢોર માર માર્યો હતો.


Google NewsGoogle News