ઉનાળુ વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો ઉભરાયા, 1.35 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

Updated: Jul 3rd, 2024


Google NewsGoogle News
Gujarat Tourism


Good News For Gujarat Tourism Industry :  દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. 

આ વર્ષે ઉનાળા વેકેશનના સમયગાળા દરમિયાન, 1 એપ્રિલથી 10 જૂન 2024 સુધીમાં, રાજ્યના 12 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 1.35 કરોડથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. વર્ષ 2023માં એપ્રિલ અને મે મહિનાના સમયમાં 1.14 કરોડ પ્રવાસીઓએ આ સ્થળોની મુલાકાત લીધી હતી, જેની સરખામણીએ આ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં 17 ટકાનો વધારો નોંધાયો છે. 

આ સમયગાળામાં ગુજરાતના પ્રસિદ્ધ આકર્ષણો જેમ કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી (SoU), અટલ બ્રિજ, રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક, કાંકરિયા તળાવ, સોમનાથ મંદિર, અંબાજી મંદિર, પાવાગઢ મંદિર, દ્વારકા મંદિર, સાયન્સ સિટી-અમદાવાદ, વડનગર, ગીર અને દેવળીયા સફારીનો આનંદ લેવા માટે બહોળી સંખ્યામાં લોકો પહોંચ્યા હતાં.

ટેટ અને ટાટ પાસ ઉમેદવારો માટે ખુશખબર, 24 હજારથી વધુ કાયમી શિક્ષકોની ભરતી કરાશે

ક્રમ
પ્રવાસન સ્થળ
એપ્રિલ-23
એપ્રિલ-24
મે-23
મે-24
1SoU અને આકર્ષણો
158605
176942
185989
266835
2અટલ બ્રિજ
209218
184924
264956
241581
3રિવરફ્રન્ટ-ફ્લાવર પાર્ક
14965
38538
14718
16548
4કાંકરિયા તળાવ
517438
534639
664400
575987
5પાવાગઢ મંદિર
647712
678508
523307
533281
6અંબાજી મંદિર
 518464
947714
927423
927423
7સાયન્સ સિટી-અ'વાદ
 79984
87010
127568
108408
8વડનગર
31247
41302
33341
35152
9સોમનાથ મંદિર
762558
564676
1018113
924585
10દ્વારકા મંદિર
658403
527378
657606
1103110
11ગીર-દેવળીયા સફારી
68580
55998
116011
106935

કુલ
3,667,174
3,837,629
4,254,899 
4,839,845‬

અમદાવાદ પ્રવાસીઓનું હોટ ફેવરિટ ડેસ્ટીનેશન

‘ખુશ્બુ ગુજરાત કી’ માણવા આવતા પ્રવાસીઓમાં હેરિટેજ શહેર અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ બન્યું છે. વર્ષ 2023-24માં પ્રવાસીઓની સંખ્યાની બાબતે અમદાવાદ સૌથી પસંદગીનું સ્થળ અને જિલ્લો રહ્યો છે. 

પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી

રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે અને સંલગ્ન પ્રવૃત્તિઓને વેગ આપીને, રોજગારીની નવી તકો ઊભી કરવા માટે રાજ્ય સરકારે અનેક પગલાં લીધા છે. ગુજરાત આવતા પ્રવાસીઓના અનુભવને બહેતર બનાવવા માટે પ્રવાસન પ્રભાગ માટે વર્ષ 2024-25ના બજેટમાં ₹ 2077 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આકર્ષક પ્રવાસન સ્થળો, ધાર્મિક, સાંસ્કૃતિક અને એડવેન્ચર આકર્ષણો તેમજ ઇકો ટુરિઝમનો વિકાસ કરવામાં આવશે.

સરદાર સરોવર ડેમ 50 ટકાથી વધુ ભરાયો, સૌરાષ્ટ્રના બે જળાશયો છલોછલ, હાઈ એલર્ટ જાહેર

ઉનાળુ વેકેશનમાં ગુજરાતના પ્રવાસન સ્થળો ઉભરાયા, 1.35 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત 2 - image

G-20 બેઠકોના આયોજનથી રાજ્યના પ્રવાસન આકર્ષણો દુનિયાભરમાં પહોંચ્યા

તાજેતરમાં ભારતની યજમાનીમાં આયોજિત થયેલી G-20 બેઠકોનો એક દોર ગુજરાતમાં પણ રહ્યો હતો. રાજ્ય સરકારે, કચ્છના ધોરડો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિશ્વકક્ષાના પ્રવાસન સ્થળોએ  G-20  બેઠકોનું સફળતાપૂર્વક આયોજન કરીને, G-20 દેશના પ્રતિનિધિઓને રાજ્યના સમૃદ્ધ વારસાનો પરિચય કરાવ્યો હતો.

G-20 પ્રતિનિધિઓએ ધોળાવીરા, મોઢેરા સૂર્યમંદિર, અમદાવાદનો ઐતિહાસિક વારસો, ગિફ્ટ સિટી અને દાંડી કુટીર સહિતના આકર્ષણોની મુલાકાત લઇને તેની સરાહના કરી હતી. પ્રાચીન નગરોની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણું બની હતી અને તેમના પ્રતિભાવોમાં તેમણે જણાવ્યું હતું કે આ સમગ્ર વિશ્વની ધરોહર છે, જેને આવનારી પેઢી માટે સાચવી રાખવી જરૂરી છે.


Google NewsGoogle News