ગાંધીધામના ચુડવા ગામના પરિવારને વીસનગર પાસે અકસ્માત : ત્રણ મોત
ઉનાવા મીરા દાતારે સલામ ભરવા જતાં બામરોલી પાટિયા પાસે ગાડી પલટી
ચાલક તથા મહિલાનું ઘટનાસ્થળે જ મોત : બે ઇજાગ્રસ્તોને ધારપુર અન્ય પાંચને રાધનપુર ખાતે સારવાર અર્થે ખસેડાયા
ગાંધીધામ તાલુકાના ચુડવા ગામના મુસ્લિમ પરિવારના નવ સભ્યો ગાડી લઈ શનિવારના રોજ વિસનગર તાલુકાના ઉનાવા ગામે આવેલ મીરાદાતારની દરગાહે સલામ ભરવા જઈ રહ્યા હતા. તે દરમિયાન સાંતલપુર વારાહી હાઇવેના બામરોલી પાટિયા પાસે બપોરના સુમારે ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતાં ગાડી હાઇવે પરથી સામેની બાજુના રોડ પર પલટી ખાઇ ંબાજુના ખાડામાં ખાબકી હતી. જેના લીધે ગોઝારા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત સર્જાતા ગાડીમાં બેઠેલા મુસાફરોની ચિચિયારી અને બુમા બુમ થી લોકો મદદે દોડી આવ્યા હતા. અકસ્માતમાં ચાલક સહિત એક મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું .ચાર બાળકો ,બે મહિલા ,એક પુરુષ સહિત સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકોને ધારપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન એક બાળકનું મોત નિપજ્યું હતું અને અન્ય ઇજાગ્રસ્તોને રાધનપુર ખાતેની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા .આ અકસ્માતની જાણ થતા જ વારાહી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી .મૃતક અને ઈજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનો અને ૧૦૮ એમ્બ્યુલન્સ તેમજ નેશનલ હાઇવે ની એમ્બ્યુલન્સ દ્વારા સીએચસી ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગંભીર ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે દ્વારા રિફર કરવામાં આવ્યા હતા.
અકસ્માતમાં ભોગ બનેલા મૃતકો |
૧.ઉસ્માન ભાઈ ઉંમર ભાઈ કુરેજા |
૨. ફરીદબેન ઉસ્માન ભાઈ કુરેજા |
૩. આસિફ અઝગર ભાઈ કુરેજા |
અકસ્માતમાં ભોગ બનેલા
ઇજાગ્રસ્તો |
૧. જુસબ હાજી કુરેજા |
૨.જેનબ આમદ કુરેજા |
૩. તસ્લીમ આમદ કુરેજા |
૪. હાજરા જુસબ કુરેજા |
૫. આશિયા અઝગર કુરેજા |
૬.ઉમર ભઈ અજગરભાઈ કુરેજા |