નાના ભાઈના અવસાન બાદ બુઝુર્ગે ગળાફાંસો ખાઈ જીવનલીલા સંકેલી
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં
ફલ્લામાં બાથરૃમમાં પટકાતા વીજ કર્મીનું મોત
જામનગરમાં નવાગામ ઘેડમાં રહેતા રમેશભાઈ પરસોત્તમભાઈ મકવાણા
નામના ૬૨ વર્ષના બુઝુર્ગ કે જેઓએ આજે સવારે પોતાના ઘેર પંખામાં ચુંદડી બાંધી
ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
મૃતકના નાનાભાઈ
શશીકાંતભાઈ મકવાણાનું આજથી છ મહિના પહેલાં ડાયાબિટીસની બીમારીના કારણે અવસાન થયું
હતું, જેનું
મનમાં લાગી આવતાં પોતે પણ આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને ધ્રોળ પીજીવીસીએલની
કચેરીમાં ફરજ બજાવતા રાજેશભાઈ ડાયાભાઈ મારવાણીયા નામના ૫૨ વર્ષના કર્મચારી કે જેઓ જમણા પગે પોલિયોગ્રસ્ત હતા, અને તેઓ પોતાના
ઘેર બાથરૃમ માં જતાં અકસ્માતે નીચે પટકાઈ પડયા હતા. અને તેઓને હેમરેજ થયું હતું, અને સારવાર માટે
ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ
નીપજયું છે.