જામનગરમાં ધનતેરસના સવારે આઈટીઆરએ દ્વારા થશે ધન્વન્તરિ પૂજન
Image Source: Facebook
જામનગર તા. 9 નવેમ્બર 2023 ગુરૂવાર
જામનગર સ્થિત ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ઈટ્રા) દ્વારા સમુદ્ર મંથનના ફલ સ્વરૃપ ઔષધિના અમૃત કળશ હાથ પર ધરેલા ભગવાન ધન્વન્તરિના પ્રાકટ્ય દિવસ એટલે ધન્વન્તરિ જયંતી (ધનતેરસ) અને વિશ્વ આયુર્વેદ દિવસની ઉજવણીનું આયોજન તા. ૧૦-૧૧-ર૩ (શુક્રવાર)ના સવારે ૮-૩૦ વાગ્યે આઈટીઆરએ (યુ.જી.) કેમ્પસમાં કરવામાં આવ્યું છે.
આ પૂજન આઈટીઆરએના નિયામક પ્રો. અનુપ ઠાકર ના હસ્તે કરવામાં આવશે.