Get The App

સિહોરમાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
સિહોરમાં દૂષિત પાણીના વિતરણથી રોગચાળો ફાટી નીકળવાની દહેશત 1 - image


- ડહોળું-દુર્ગંધયુક્ત અને પોરાવાળું પાણી પીવા લોકો મજબૂર

- સામાન્ય જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ

સિહોર : સિહોરમાં છેલ્લા ઘણાં સમયથી પીવાનું દૂષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોવાથી લોકોને રોગચાળો ફાટી નીકળવાની દહેશત સતાવી રહી છે. આ બાબતે નગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવે તો આમ જનતા અને આગેવાનોની ફરિયાદ સાંભળવામાં આવતી ન હોવાનો કકળાટ ઉઠયો છે.

સિહોર શહેરની ૮૦ હજારની વસતીને પીવાનું જે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે, તે ડહોળું અને દુર્ગંધયુક્ત તેમજ પોરાવાળું હોય છે. જેના કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. દૂષિત પાણીનું વિતરણ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાની અનેક વિસ્તારમાંથી ફરિયાદો ઉઠી છે. આ બાબતે સામાન્ય જનતા, આગેવાનોએ અસંખ્ય વખત ફરિયાદો કરી હોવા છતાં જવાબદાર ચીફ ઓફિસર અને નગરપાલિકા તંત્ર દ્વારા લાજવાના બદલે ગાજી પ્રશ્નનો નિકાલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. આ કારણે તાવ, ટાયફોડ, મેલેરિયા, ડેન્ગ્યુ, પેટના રોગ, હાથ-પગના દુઃખાવાએ માથું ઉચક્યું છે. ત્યારે લોકોના આરોગ્યની સુખાકારી માટે ન.પા. તંત્રે ગંભીરતા દાખવી લોકોની પ્રાથમિક જરૂરિયાતના શુદ્ધ પાણીના પ્રશ્નનું વિતરણ કરે આવે તેવી લોકોમાં માંગણી ઉઠી છે.


Google NewsGoogle News