પાટખીલોરીમાં પ્રેમઘેલા સાળી-બનેવીએ ઝાડ પર સજોડે લટકી આત્મહત્યા કરી

Updated: Apr 11th, 2024


Google NewsGoogle News
પાટખીલોરીમાં પ્રેમઘેલા સાળી-બનેવીએ ઝાડ પર સજોડે લટકી આત્મહત્યા કરી 1 - image


ગત તા. 15મીએ ઘરેથી નાસી છૂટયા બાદ આત્મહત્યા કરી  : આ જન્મારે એક નહી થઈ શકીએ એમ સમજીને અંતિમ પગલું ભરી લીધાનું તપાસમાં બહાર આવ્યુ

ગોંડલ, : ગોંડલ તાલુકાનાં પાટખીલોરી ગામ ની સીમ માં આવેલી વાડીમાં મધ્યપ્રદેશ નાં પ્રેમી પંખીડાએ ઝાડ ની ડાળીમાં લટકી આત્મહત્યા કરી હતી.બન્ને પ્રેમી યુગલ  સબંધ માં સાળી બનેવી થતા હોવાનું ખૂલ્યું છે.જેમાં સાળી સગીર વયની હતી.રાત્રે બનેલી ઘટનામાં સવારે વાડી માલિક ને જાણ થતા સુલતાનપુર પોલીસ ને જાણ કરી હતી.દોડી આવેલી પોલીસે બન્નેનાં મૃતદેહ ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.

બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ મધ્ય પ્રદેશ નાં બરહનપુર જીલ્લાનાં ડુંડગામ રહેતા ચંપીલાલ સુરસંગ બરડે ઉ.૧૯ ને તેની સગીર વય ની સાળી સાથે પ્રેમ સંબંધ બંધાતા પ્રેમ ને સમાજ કે પરીવાર સ્વીકારશે નહી તેવી લાગણી સાથે ગત ૧૫ માર્ચ ની આસપાસ બન્ને ઘરે થી નાસી છુટયા હતા.

અહીતહીં રખડી પંદર દિવસ પહેલા ગોંડલ નાં પાટખિલોરી ગામે  ચંદુભાઈ રવજીભાઈ ગોળ ની વાડીએ ખેતમજુરી કરવા રહ્યા હતા. આ  દરમિયાન આ જન્મ માં એક થઈ જીવવું શક્ય નહી લાગતા પ્રેમમાં ઓતપ્રોત પ્રેમી પંખીડાએ ગત રાત્રે વાડીમાં લીમડાનાં ઝાડની ડાળીએ સજોડે લટકી ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

સવારે વાડી માલિક વાડીએ આવતા અને ઝાડ ની ડાળીએ બન્નેની લાશ લટકતી જોઈ હબકી ગયા હતા.બાદ માં સુલતાનપુર પોલીસ માં જાણ કરતા પીએસઆઇ.આર.જે.જાડેજા તથા જમાદાર હિતેશભાઈ ગરેજા ઘટનાસ્થળે દોડી જઇ બન્નેનાં મૃતદેહ નીચે ઉતારી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા.પોલીસ સુત્રો અનુસાર ચંપીલાલ અને પોતાની સગી બહેન વચ્ચેનાં પ્રેમની જાણ ચંપીલાલ ની પત્નીને થતા અને પ્રેમી પંખીડા નાસી છુટતા પત્નિ ઘર છોડી માવતર ચાલી ગઈ હતી. 


Google NewsGoogle News