Get The App

શહેરના સે-૪માં પીવાના પાણી માટે નાગરિકોને વલખા મારવાની નોબત

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
શહેરના સે-૪માં પીવાના પાણી માટે નાગરિકોને વલખા મારવાની નોબત 1 - image


પાણી નહીં મળવાની સમસ્યાનો સામનો કરી રહેલા રહીશોની નિરાકરણ લાવવાની માંગ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં તંત્ર દ્વારા એક તરફ લોકોને ૨૪ કલાક પાણી પૂરું પાડવાની વાતો કરી રહ્યું છે.ત્યારે ઘણા સેક્ટર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  પૂરતા પ્રેશરથી પાણી પણ આપી શકતું નથી.જેના પગલે પ્રાથમિક જરુરિયાત એવા પાણીની અવારનવાર બૂમરાણ મચી જાય છે. તો બીજી તરફ ઘણા વિસ્તારમાં રહીશોને નાછૂટકે પાણીના ટેન્કર મંગાવાની પણ નોબત આવે છે તેમ છતાં તંત્ર દ્વારા લોકોને પુરતું પાણી મળી શકે તે માટે કોઈ જ કામગીરી નહી કરતા તંત્રની સામે રોષ પણ પ્રગટ કરી રહ્યા છે.

રાજ્યના પાટનગરમાં તેમજ કોર્પોરેશન વિસ્તારમાં વસવાટ કરતા રહીશોને અવારનવાર  પીવાના પાણી માટે  વલખા મારવા પડતા હોય છે.બીજી તરફ ઘણી જગ્યાએ પાઇપલાઇન લીકેજ થવાના કારણે અમૂલ્ય પાણીનો બગાડ પણ થતો હોય છે.તેને પણ અટકાવવા માટે તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવતી ન હોવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણીના પોકાર  ઉઠતા હોય છે. ત્યારે પાટનગરના સેક્ટર- ૪/બીમાં આવેલા વસાહતી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પાણીની પારાયણ શરૃ થઈ છે.ત્યારે આ વિસ્તારમાં પાઇપલાઇન નવી નાખવામાં આવી હતી તેમ છતાં વસવાટ કરતા પરિવારોને પૂરતું પાણી મળી શકે તે માટે કોઈ આયોજન હાથ ધરવામાં નહિ આવતા છેલ્લા ઘણા દિવસથી સ્થાનિકોને પૂરતા પ્રેશરથી પાણી મળી શકતું નથી.

જેના પગલે પ્રાથમિક જરુરિયાત એવા પાણીની સુવિધા મેળવવા માટે વલખા મારવાની નોબત આવી છે.તંત્ર સમક્ષ રજૂઆતો કરવા છતાં તે અંગે કોઈ વ્યવસ્થા ગોઠવવામાં નહીં આવતા  હાલમાં પાણી માટે આમતેમ ભટકવુ પડે છે.જેથી પૂરતા પ્રેશરથી પાણી રહીશોને પ્રાપ્ત થઈ શકે તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઇ છે.વસાહતી વિસ્તારમાં પૂરતું પાણી નહીં આવતા નાછૂટકે રહીશોને ટેન્કર મંગાવીને જરૃરિયાત પૂરી કરવી પડે છે.


Google NewsGoogle News