બોરવેલમાંથી બચી ગયેલું બાળક માંડ 20 દિવસ જીવી શક્યું, જામનગરમાં શ્રમિક પરિવારમાં શોકનું મોજું

108ની ટીમેં ઓક્સિજન આપી સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર બાદ જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો

બોરવેલમાં ફસાઈ જવાના કારણે ઓક્સિજન ઓછું મળવાથી તેની શ્વાસની ક્રિયા ધીમી પડી હતી.

Updated: Feb 26th, 2024


Google NewsGoogle News
બોરવેલમાંથી બચી ગયેલું બાળક માંડ 20 દિવસ જીવી શક્યું, જામનગરમાં શ્રમિક પરિવારમાં શોકનું મોજું 1 - image
Image Twitter 

Child rescued from borewell dies : જામનગરની જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં ખુલ્લા બોરવેલમાં શ્રમિક પરિવારનો બે વર્ષનો બાળક પડી ગયા પછી વહીવટી તંત્રએ ભારે જહેમત લઇ બાળકને જીવિત બહાર કાઢ્યા પછી સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વીસ દિવસની સધન સારવાર પછી આજે તેનું મૃત્યુ નીપજયું છે. જેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

9 કલાકની ભારે જહેમત બાદ બાળકને જીવિત બહાર કાઢ્યો હતો

લાલપુરના ગોવાણા ગામમાં રણમલભાઈ કરંગીયાની વાડીમાં રાજ નિલેશભાઈ વસાવા નામનો બાળક ખૂલ્લા બોરમાં ગરકાવ થઈ જતાં ફાયર-પોલીસ સહિતની સમગ્ર ટીમની સતત 9 કલાકની ભારે જહેમત બાદ બાળકને જીવિત અવસ્થામાં બહાર કાઢી લીધો હતો. 108ની ટીમેં સૌપ્રથમ ઓક્સિજન આપી સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર કરી હતી, ત્યારબાદ તેને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી તેમજ બોરવેલમાં ફસાઈ જવાના કારણે ઓક્સિજન ઓછું મળવાથી તેની શ્વાસની ક્રિયા ધીમી પડી હતી.

બાળકે આજે જી.જી. હોસ્પિટલમાં દમ તોડ્યો

આથી તેને જામનગરની જી.જી. હોસ્પિટલના બાળકોના વિભાગમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જી.જી. હોસ્પિટલના ડો. મૌલિક શાહ, ડો. ભદ્રેશ વ્યાસ તથા તેની સમગ્ર ટીમ બાળકની સધન સારવાર કરી હતી. પરંતુ વીસ દિવસ ની સાધન સારવાર બાદ આજે બાળકે જી.જી. હોસ્પિટલના બીજાને દમ તોડી દીધો હતો, તેથી શ્રમિક પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. લાલપુર પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News