જેતલપુર રોડ પર બસ દીવાલ સાથે અથડાઈ તો નવસારીમાં દીવાલ તૂટતાં 7ને ઈજા

Updated: Aug 27th, 2024


Google NewsGoogle News
જેતલપુર રોડ પર બસ દીવાલ સાથે અથડાઈ તો નવસારીમાં દીવાલ તૂટતાં 7ને ઈજા 1 - image

Rain in Gujarat : છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ રાજ્યભરમાં ધડબડાટી બોલાવી છે. ગુજરાતમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગત 24 કલાકમાં 251 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જ્યારે વડોદરામાં છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ, અમદાવાદમાં 5થી 9 ઇંચ, આણંદ પાદરા ખંભાત અને ગોધરામાં પણ 12-5 ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે. બીજી તરફ વહેલી સવારથી રાજ્યભરમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા રાજ્યના 23થી વધુ જિલ્લામાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે મોડી રાત્રે જેતલપુર રોડ પર લકઝરી બસ દીવાલ સાથે અથડાતાં રોડ પરનું સમગ્ર પાણી બેઝમેન્ટમાં ઘૂસી ગયું હતું. જેના લીધે દુકાનોમાં પાણી ઘૂસી જતાં દુકાનદારોએ ભારે નુકસાન થયું હતું. 

નવસારીના જલાલપોર તાલુકાના કાંઠાના કૃષ્ણપુર ગામે મટકી ફોડ કાર્યક્રમમાં દુર્ઘટના ઘટી છે.  કૃષ્ણપુર ગામે જૂના બસ ડેપો પાસે મટકી ફોડતાં સમયે દીવાલનો એક ભાગ તૂટી પડ્યો હતો. દીવાલનો ભાગ તૂટી જતાં સાત લોકોને ગંભીર ઈજા પહોંચી છે. જેમાં પાંચ બાળકો પણ સામેલ છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નવસારી સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


Google NewsGoogle News