નવા મકાનની પાણીની લાઈન બાબતે પૂછવા ગયેલા દંપત્તિ પર બિલ્ડરનો હુમલો

Updated: Dec 31st, 2023


Google NewsGoogle News
નવા મકાનની પાણીની લાઈન બાબતે પૂછવા ગયેલા દંપત્તિ પર બિલ્ડરનો હુમલો 1 - image


વડોદરા તા. 31 ડિસેમ્બર 2023, રવિવાર

વડોદરા વાઘોડિયા રોડ પર લીમડા ગામની નજીક આવેલી શ્રીનાથજી સ્વરાજ સોસાયટીમાં મૂળ ભરૂચના વેજલપુર ખાતે રહેતા મીનાબેન ઘનશ્યામભાઈ ગોહિલે મકાન ખરીદ્યું હતું આ મકાનનું પઝેશન પણ થોડા સમય પહેલા જ તેમને લીધું હતું પરંતુ મકાનમાં પાણીની લાઈનનું કામ પૂરું થયું ન હોવાથી ગઈ સાંજે મીનાબેન તેમના પતિ ઘનશ્યામભાઈ સાથે સાઈડની ઓફિસ પર ગયા હતા અને બિલ્ડર દક્ષેશ શાહ તેમજ બ્રિજેશ શાહને પાણીની લાઈન બાબતે પૂછતા દક્ષેશ શાહ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને મીનાબેનને ઝાપટ મારી દીધી હતી તેમજ બંને મીનાબેનના પતિ સાથે ઝઘડો કરી તને જોઈ લઈશ તેવી ધમકી આપી હતી આ બનાવની ફરિયાદ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Google NewsGoogle News