Get The App

૮૫ વર્ષના વૃદ્ધનું મોત થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું

ડિસેમ્બર - ૨૦૨૩ માં એકસાથે ૩૫૨ લોકોએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો

Updated: Mar 21st, 2025


Google News
Google News
૮૫ વર્ષના વૃદ્ધનું મોત થતા મેડિકલ કોલેજમાં દેહદાન કરાયું 1 - image

 વડોદરા.છાણી વિસ્તારમાં રહેતા ૮૫ વર્ષના સિનિયર સિટિઝનનું મોત થતા તેમનો દેહ ગોત્રી મેડિકલ કોલેજને દાનમાં આપવામાં આવ્યો હતો. તેમજ તેમની આંખો આઇ બેન્કને ડોનેટ કરાઇ હતી.

જૂનાગઢ ખાતે  ડિસેમ્બર - ૨૦૨૩ માં યોજાયેલા એક ધાર્મિક  મહોત્સવમાં ૨૧,૯૦૦ લોકોએ ચક્ષુદાન તથા ૩૫૨ લોકોએ દેહદાનનો સંકલ્પ લીધો  હતો. સંકલ્પ લેનાર પૈકી છાણી વિસ્તારમાં રહેતા  ભક્ત અંબાલાલ નાગજીભાઇ પંચાલ ( ઉં.વ.૮૫) નું ગઇકાલે ઘરે કુદરતી અવસાન થયું હતું. તેમણે લીધેલા સંકલ્પના પગલે ગોત્રી મેડિકલ  કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પિત કરવામાં આવ્યો હતો. જેના કારણે મેડિકલના  વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં મદદ થશે.

Tags :
Body85-year-old-mandonated

Google News
Google News