Get The App

ભાવનગર-બાન્દ્રા ટ્રેન બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર સ્ટેશને ઉભી રહેશે

Updated: Apr 26th, 2025

GS TEAM


Google News
Google News
ભાવનગર-બાન્દ્રા ટ્રેન બોટાદ, ધોળા, સોનગઢ, સિહોર સ્ટેશને ઉભી રહેશે 1 - image


- અક્ષયતૃતિયાના પાવન અવસરે દોડનાર 

- ટ્રેનના બૂકિંગનો આજથી પીઆરએસ કાઉન્ટર્સ પર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે 

ભાવનગર : યાત્રિયોની સુવિધા માટે અને વધારાના ધસારાને સમાયોજિત કરવા માટે અક્ષય તૃતિયાના શુભ અવસરે પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા અને ભાવનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે. જેના બૂકિંગનો આવતીકાલ તા.૨૬ના રોજ પ્રારંભ થશે. 

 ભાવનગરના સિનિયર ડીસીએમ અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ ટ્રેન નંબર ૦૯૦૧૩ બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ મંગળવારને તા. ૨૯ એપ્રિલના રોજ ૧૯.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૯.૦૦ કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૧૪ ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ બુધવારને તા. ૩૦ એપ્રિલના રોજ ભાવનગર ટર્મિનસથી ૧૭.૪૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે ૦૭.૨૫ કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાઢ, નવસારી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર ગેટ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી અને એસી ચેયરકાર કોચ હશે.

 ટ્રેન નંબર ૦૯૦૧૩/૦૯૦૧૪ માટે બુકિંગ તા. ૨૬ એપ્રિલને શનિવારથી તમામ પીઆરએસ કાઉન્ટર્સ પર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. 

Tags :