પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા રાજ્ય સરકારે બે મંત્રીઓને વડોદરા દોડાવ્યા

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
પૂરની સ્થિતિ વધુ ગંભીર બનતા રાજ્ય સરકારે બે મંત્રીઓને વડોદરા દોડાવ્યા 1 - image


Image Source: Twitter

વડોદરામાં પૂરની સ્થિતિ વધારેને વધારે ગંભીર બની રહી છે. જેના કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓનો તાત્કાલિક વડોદરા દોડાવ્યા છે.

આ બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહત કામગીરીની જાણકારી મેળવશે. જોકે મંત્રીઓની મુલાકાતથી પણ વડોદરાની સ્થિતિમાં હાલમાં તો કોઈ ફરક નહીં પડે. કારણકે વિશ્વામિત્રીની સપાટી ઓછી થઈ રહી નથી.

સરકારે વડોદરા મોકલેલા મંત્રીઓમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વાકર્માનો સમવેશ થાય છે. આ બંને મંત્રીઓ વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લેવાના છે. તેમજ કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને વડોદરા શહેરના ધારાસભ્યો સાથે બેઠક પણ યોજશે.


Google NewsGoogle News