આઈ ટી કંપનીના કર્મચારી અને તેની પુત્રીએ ઝેર પીને આપઘાત કર્યો

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
આઈ ટી કંપનીના કર્મચારી અને તેની પુત્રીએ ઝેર પીને આપઘાત કર્યો 1 - image


ભાયલી વિસ્તારમાં રહેતા અને આઇટી કંપનીમાં નોકરી કરતા પિતા અને તેમની પુત્રીએઆપઘાત કરતા ચકચાર મચી ગઈ છે બનાવ અંગે પોલીસે ઘટના સ્થળે દોડીને વધુ કાર્યવાહી હાથ કરી છે.

મળતી માહિતી મુજબ ભાયલી વિસ્તારમાં ફોરેન્સ નામના ફ્લેટમાં ચિરાગભાઈ બ્રહ્માણી તથા તેમની આઠ વર્ષની પુત્રી છેલ્લા બે મહિનાથી ભારે રહેતા હતા ચિરાગભાઈ આરટી કંપનીમાં નોકરી કરતા હતા. 

આજે સવારે ફ્લેટના રહીશો ને પિતા પુત્રીના આપઘાત અંગે જાણ થતા તેમણે એમ્બ્યુલન્સ ને કોલ કર્યો હતો એમ્બ્યુલન્સના એટેન્ડે આવીને ચેક કરતા ત્રણ કલાક પહેલા પિતા પુત્રીના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું આ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસો સ્થળ પર જઈને તપાસ કરી છે ચિરાગભાઈ મૂળ રાજકોટના વતની હોય તેમના સગા સંબંધીઓને પણ જાણ કરવામાં આવતા તેઓ વડોદરા આવવા રવાના થઈ ગયા છે.

પોલીસનું જણાવું છે કે આપઘાત પૂર્વે ચિરાગભાઈએ એક અંતિમ ચિઠ્ઠી લખી હતી જે પાછળથી કબજે કરવામાં આવી છે આપઘાતનું ચોક્કસ કારણ પોલીસ જણાવવા માટે ઇનકાર કરે છે પરંતુ આર્થિક તંગીના કારણે પિતા પુત્રીએ આપઘાત કર્યો હોવાનું વિસ્તારમાં ચર્ચા રહ્યું છે. પોલીસ શા માટે આપઘાતનું કારણ જણાવતી નથી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે


Google NewsGoogle News