અમદાવાદ : સાબરમતી જેલમાં કાચા કામના કેદીની આત્મહત્યા, પોલીસ તપાસ શરૂ

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
Ahmedabad Sabarmati Jail


Prisoner Committed Suicide  : શહેરની સાબરમતી જેલમાં કાચા કામના કેદીએ આત્મહત્યા કરવાની ઘટના બની છે. કેદીએ જેલની અંદર જ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. હાલ પોલીસે મૃતકો મૃતદેહ કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.

કેદીએ ગળે ફાંસો ખાઈને કરી આત્મહત્યા

મળતા અહેલાલો મુજબ અમદાવાદની સાબરમતી જેલમાં મેલાજી ઠાકોર નામના કેદીએ કોઈક અગમ્ય કારણોસર આજે આત્મહત્યા કરી દીધી છે. કેદીએ કયા કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી, તેની વિગતો હજુ સામે આવી નથી. હાલ પોલીસે મેલાજી ઠાકોરના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે. આ મામલે રાણીપ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News