જામનગર તાલુકાના સડોદર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાન બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
જામનગર તાલુકાના સડોદર ગામમાં પરપ્રાંતિય શ્રમિક યુવાન બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ 1 - image


                                                          Image Source: Freepik

જામનગર, તા. 24 ઓક્ટોબર 2023 મંગળવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં રહીને ખેત મજૂરી કરતા એક શ્રમિક યુવાનનું પોતાની વાડીમાં એકાએક બેશુદ્ધ બન્યા પછી અપમૃત્યુ થયું છે. જે મામલે પોલિસ તપાસ ચલાવે છે.

મૂળ મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જીલ્લાનો વતની અને હાલ જામજોધપુરના સડોદર ગામમાં રમણીકભાઈ રવજીભાઈ ગોધાણી ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા અનિલભાઈ રામચંદ્રભાઇ વાઘેલા નામના પરપ્રાંતિય શ્રમિક યુવાન કે જે પોતાની વાડીમાં એકાએક બેશુદ્ધ બન્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે કિશનભાઇ નરસીભાઇ માલવિયાએ પોલીસને જાણ કરતાં શેઠ વડાળા પોલિસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. અને આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News