પાલનપુર જકાતનાકા વિસ્તારમાંં સામાન્ય મુદ્દે હત્યા: ચાલતી વેળા અથડાતા ઝઘડામાં ચાર તરૂણે યુવાનને ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News
પાલનપુર જકાતનાકા વિસ્તારમાંં સામાન્ય મુદ્દે હત્યા: ચાલતી વેળા અથડાતા ઝઘડામાં ચાર તરૂણે યુવાનને ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો 1 - image




- 22 વર્ષનો યુ.પીવાસી રામદીન ફોઇના દીકરા સહિત ચાર રૂમ પાર્ટનર સાથે મોડી રાતે ચાલવા નીકળ્યો ત્યારે હનુમાન મંદિર પાસે હત્યા થઇ


સુરત

પાલનપુર જકાતનાકા વિસ્તારની પ્રશાંત નગર સોસાયટી-2 નજીક રોકડીયા હનુમાન મંદિર સામે ગત મોડી રાતે ચાલતા-ચાલતા અથડાવાની સામાન્ય ઘટનામાં ચારથી પાંચ તરૂણે ચપ્પુના ઘા મારી યુ.પીવાસી યુવાનને મોતને ઘાત ઉતારતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ હતી.

પાલનપુર જકાતનાકા વિસ્તારમાંં સામાન્ય મુદ્દે હત્યા: ચાલતી વેળા અથડાતા ઝઘડામાં ચાર તરૂણે યુવાનને ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો 2 - image
પાલનપુર જકાતનાકા સ્થિત પ્રશાંત સોસાયટી-2 માં ભાડેથી રહેતો અને પ્લમ્બરનું કામ કરતો રામદીન સિતેઇ નિશાદ (ઉ.વ. 22 મૂળ રહે. સબદીયા, તા. જયસીંગપુર, સુલતાનપુર, યુ.પી) અને તેની સાથે રહેતો મામાનો દીકરો રવિન્દ્ર હરીલાલ નિશાદ (ઉ.વ. 24 મૂળ રહે. ભવાનીપુર, તા. મોદીગરપુર, સુલતાનપુર, યુ.પી) સહિત ચાર રૂમ પાર્ટનર ગત મોડી રાતે સાડા અગિયાર વાગ્યાના અરસામાં ચાલવા નીકળ્યા હતા. દરમિયાનમાં રહેણાંક સોસાયટી નજીક રોકડીયા હનુમાન મંદિર સામેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક તરૂણ સાથે અથડાતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં તરૂણ અને તેના મિત્રોએ ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત ચપ્પુ વડે હુમલો રવિન્દ્રના ડાબા પડખામાં ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. જેને પગલે રવિન્દ્ર ઘટના સ્થળે જ બેભાન થઇ ગયો હતો. જેને તુરંત જ સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવે તે પહેલા જ તેનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા રાંદેર પોલીસ તુરંત જ દોડી ગઇ હતી અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જે અંતર્ગત ચાલતા-ચાલતા અથડાતા થયેલા ઝઘડામાં ચપ્પુ વડે હુમલો કરી શ્રમજીવી યુવાનને મોતને ઘાત ઉતારનાર તમામ તરૂણ છે અને પોલીસે તેઓને ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News