કેન્સરની બીમારીથી કંટાળી આધેડે બાથરૂમમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
Image Source: Twitter
વડોદરા, તા. 25 ફેબ્રુઆરી 2024, રવિવાર
કરજણમાં નવાબજાર વિસ્તારમાં આવેલ ગિરધરનગર ખાતે રહેતા 50 વર્ષના મનોજ મિસ્ત્રીને છેલ્લા 9 વર્ષથી મોઢાના કેન્સરની બીમારી હતી. વર્ષ 2016માં ઓપરેશન કરાવ્યું હતું અને કેન્સરની બીમારી છેલ્લા સ્ટેજ ઉપર હતી જેની સારવાર પણ ચાલતી હતી પરંતુ કેન્સરની બીમારીથી કંટાળી જઈ આખરે મનોજભાઈએ પોતાના ઘરના બાથરૂમમાં જઈ આરસીસીની બારી સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે મનોજ મિસ્ત્રીની પત્ની રાખીબેને પોલીસને જાણ કરી હતી.