Get The App

ગુજરાતને લજવતી વધુ એક ઘટના, સુરેન્દ્રનગરમાં સગીરા પર દુષ્કર્મ, 8 નરાધમો સામે એફઆઈઆર

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
Misdemeanor


Misdemeanor Incident In  Surendranagar: ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વડોદરા, રાજકોટ, ભુજ, ધાંગ્રધા અને મહેસાણા બાદ હવે સુરેન્દ્રનગરના થાનમાં સગીરાનું અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઈ જઈ આઠ શખસોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ડી.વાય.એસપી રબારીએ આપેલી માહિતી અનુસાર આ મામલે એકની ધરપકડ કરી લેવામાં આવી હતી. 

આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી

સગીર પીડિતાની માતાએે આઠ નરાધમો સામે થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. આઠ શખસો માંથી કેટલાક આરોપીઓ દ્વારા 17 વર્ષીય સગીરાના ભાઈને જાનથી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો ફરિયાદ કરાઈ છે. અલગ અલગ 8 શકસોએ છેલ્લા સાત મહિનામાં સગીરાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ પોલીસ ફરિયાદમાં 8 આરોપીઓના નામ આપ્યા છે.

આ પણ વાંચો: 'જીયાદે' જીગર બનીને કચ્છની યુવતીને ફસાવી, દુષ્કર્મની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ


આ આરોપીઓ સામે નોંધાઈ છે ફરિયાદ

1-અજય ભરવાડ

2-અજય અલગોતર

3-શૈલેષ અલગોતર

4-ધ્રુવ ચાવડા

5-કૌશિક ગોસ્વામી

6-વિજયસિંહ સોલંકી

7-દર્શન સદાદિયા

8-કાનો ઉર્ફે હરી

પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતને લજવતી વધુ એક ઘટના, સુરેન્દ્રનગરમાં સગીરા પર દુષ્કર્મ, 8 નરાધમો સામે એફઆઈઆર 2 - image


Google NewsGoogle News