અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટના: ઘઉંની બોરીઓ નીચે 5 મજૂરો દટાયા, 1 નું મોત

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
અમરેલી માર્કેટ યાર્ડમાં મોટી દુર્ઘટના: ઘઉંની બોરીઓ નીચે  5 મજૂરો દટાયા, 1 નું મોત 1 - image


Amreli Market Yard : અમરેલી માર્કેટયાર્ડમાં આજે ઘઉંની બોરીઓ ઉતારતી વખતે દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 5 મજૂરો દટાયા હતા જેમાં એક મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય 4 ઇજાગ્રસ્ત મજૂરોને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અકસ્માતના પગલે મજૂરો અને વેપારીઓમાં દોડધામ મચી ગઇ હતી. 

પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અમરેલી માર્કેટયાર્ડમાં વેપારીના ત્યાં મજૂરો ઘઉંની બોરીઓ ઉતારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ ઘઉંની બોરીઓ 5 મજૂરોના ઉપર પડી હતી. બોરીઓની નીચે દબાયેલા મજૂરોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં ખીજડિયાના વિપુલ દિનેશ કનક ( ઉં.વ. 30 ) નામના મજૂરનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય 4 મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘાયલ મજૂરોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ઘસેડવામાં આવ્યા હતા.


Google NewsGoogle News