દક્ષિણ ગુજરાતના 400 CNG પંપ હડતાળે, કેન્દ્રનો નિર્દેશ છતાં કમિશન અંગે કોઈ નિર્ણય નહીં
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG વેચાણમાં કમિશનના વધારાની માંગ
CNG પંપોના માલિકોની હડતાળ આવતી કાલે સવારે 7 વાગ્યા સુધી શરુ
Image: Twitter |
આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં CNG વેચાણમાં કમિશનના વધારાની માંગને લઈ એસોસિએશન પ્રતિક હડતાળ કરવામાં આવી છે. આજથી શરુ થયેલી આ CNG પંપોના માલિકોની હડતાળ આવતી કાલે સવારે 7 વાગ્યા સુધી શરુ રહેશે. ગઇકાલે એસોસિએશન દ્વારા એવી પણ ચમકીઓ મળી હતી કે આ હડતાળમાં આજે દક્ષિણ ગુજરાતમાં 400 જેટલા સીએનજી પંપના માલિકો જોડાશે. ઘણા સમયથી CNG પંપ ધારકો કમિશનમાં વધારાને લઈ વાત વાત કરતા હતા પરંતુ CNG પંપ ધારકોના કમિશન વધારો ન થતા તેમણે આજે પ્રતિક હડતાળનું સાધન હાથ ધર્યું છે. મળતી જાણકારી અનુસાર આ હળતાળમાં સુરતના 160 CNG પંપ હડતાળમાં જોડાયા છે.
CNG પંપ બંધ રહેતા ઘણા વાહનોને થશે અસર
સુરતમાં CNG પંપ ધારકોએ 24 કલાક પ્રતિક હડતાળ પર ઉતરતા વાહનચાલકોને મુશ્કેલી વધી છે. આજે CNG પંપ બંધ રહેતા લાખો વાહનોને સીધી અસર થશે. પ્રતિક હડતાળ બાદ પણ કમિશન ન વધવા પર અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકીની પણ વાત મળી રહી છે.