Get The App

જામનગરમાં દશેરામાં રાવણદહનની તડામાર તૈયારીઓ, રાવણનું 35 ફૂટ તેમજ મેઘનાદ-કુંભકર્ણનું 30 ફૂટનું પૂતળું બનાવાયું

Updated: Oct 11th, 2024


Google NewsGoogle News
જામનગરમાં દશેરામાં રાવણદહનની તડામાર તૈયારીઓ, રાવણનું 35 ફૂટ તેમજ મેઘનાદ-કુંભકર્ણનું 30 ફૂટનું પૂતળું બનાવાયું 1 - image


Dussehra Festival : જામનગરના પ્રદર્શન મેદાનમાં આવતીકાલ શનિવાર તા.12ના રોજ વિજયાદશમી નિમિત્તે જામનગરમાં સિંધી સમાજ દ્વારા પ્રતિવર્ષની માફક રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. 

શનિવારે સાંજ પછી પ્રદર્શન મેદાનમાં રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવનાર છે. આ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સિંધી સમાજ દશેરા કમિટીના આગેવાનો, કારોબારી સભ્યો સહિતના પદધિકારીઓ દ્વારા કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. જેમાં લંકા પતિ રાજા રાવણની 35 ફૂટના કદની પ્રતિમા તૈયાર કરવામાં આવી રહી છે, અને તેમાં મોટી માત્રામાં દારૂ ગોળો ભરવામાં આવ્યો છે. ઉપરાંત મેઘનાથ અને કુંભકર્ણની 30 ફૂટના કદની પ્રતિમાઓ તૈયાર થઈ રહી છે. જેમાં પણ મોટી સંખ્યામાં દારૂખાનું સમાવવામાં આવ્યું છે, અને કાર્યક્રમ માટેની ભરપૂર તૈયારીઓ થઈ રહી છે.

જામનગરમાં દશેરામાં રાવણદહનની તડામાર તૈયારીઓ, રાવણનું 35 ફૂટ તેમજ મેઘનાદ-કુંભકર્ણનું 30 ફૂટનું પૂતળું બનાવાયું 2 - image

સાથોસાથ નાનકપુરી થી શોભાયાત્રાનું પણ આયોજન કરાયું છે. જે શહેરના રાજમાર્ગો પર ફરીને પ્રદર્શન ગ્રાઉન્ડમાં પરીપૂર્ણ થશે. જેમાં લીમડાલેન વિસ્તારમાં આવેલી આદર્શ ભારતમાતા ગરબી મંડળમાં દેવી-દેવતા અને મહાપુરુષોની વેશભૂષા ધારણ કરનાર કલાકારો પણ સામેલ થશે અને ઘોડે સવારી કરીને અથવા અન્ય રીતે શોભાયાત્રામાં જોડાશેએ નગરમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.જામનગરમાં દશેરામાં રાવણદહનની તડામાર તૈયારીઓ, રાવણનું 35 ફૂટ તેમજ મેઘનાદ-કુંભકર્ણનું 30 ફૂટનું પૂતળું બનાવાયું 3 - image


Google NewsGoogle News