Get The App

હરિદ્વાર જતાં અમદાવાદીઓની કારને દૌસા નજીક ગંભીર અકસ્માત, એક બાળક સહિત ત્રણનાં મોત, પાંચને ઈજા

Updated: May 12th, 2024


Google NewsGoogle News
હરિદ્વાર જતાં અમદાવાદીઓની કારને દૌસા નજીક ગંભીર અકસ્માત, એક બાળક સહિત ત્રણનાં મોત, પાંચને ઈજા 1 - image


Road Accident: રાજસ્થાનના દૌસાના બાંદીકુઈ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે હાઈવે પર અમદાવાદથી હરિદ્વાર જતી કારને એક ટ્રકે અડફેટે લેતાં કચડી નાખી હતી. આ ગંભીર અકસ્માતમાં 3 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા, જ્યારે પાંચને ગંભીર ઈજા થઈ છે. 

કેવી રીતે અકસ્માત થયો? 

માહિતી અનુસાર અમદાવાદથી હરિદ્વાર જતા આ લોકોની કારની ટક્કર પહેલા એક રખડતાં ઢોર સાથે થઇ હતી. જેના બાદ આ લોકો હાઈવે પર ઊતર્યા હતા. તેઓ અમદાવાદથી અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર જઇ રહ્યા હતા. તે સમયે જ એક ટ્રકની અડફેડે પરિવારના સભ્યો આવી ગયા હતા. 

મૃતકોમાં કોણ કોણ સામેલ? 

મૃતકોમાં હસમુખ કાંતિલાલ મકવાણા (32), તેમના પત્ની સીમા હસમુખ મકવાણા અને તેમનો પાંચ વર્ષીય પુત્ર મોહન ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. હાલમાં તેમના શબને મડદાં ઘરમાં રખાયા છે. આ દુર્ઘટનામાં કાંતિલાલની પુત્રી નીલમ (27), ગીતા રાકેશ કુમાર પરમાર (35)  અને હસમુખ મકવાણાનો ત્રણ વર્ષીય પુત્ર, ગીતા પરમારની પુત્રી કાવ્યા અને અમદાવાદના વતની જેઠાભાઈના પુત્ર વિરીતભાઈ (48) ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. હાલ તેમની સારવાર ચાલી રહી છે.


Google NewsGoogle News