Get The App

16 વર્ષની તરૃણીને ભગાડી દુષ્કર્મ કરનાર 22 વર્ષીય આરોપીને 20 વર્ષની સખતકેદ

તરૃણીને સાણંદ જીઆઈડીસીના મકાનમાં રાખી દુષ્કર્મ બાદ દિલ્હી, પટના, ભાગલપુર લઈ ગયો હતો ઃ પીડિતાને 50 હજાર વળતર ચુકવવા નિર્દેશ

Updated: Oct 9th, 2024


Google NewsGoogle News


16 વર્ષની તરૃણીને ભગાડી  દુષ્કર્મ કરનાર 22 વર્ષીય આરોપીને 20 વર્ષની સખતકેદ 1 - image

સુરત

તરૃણીને સાણંદ જીઆઈડીસીના મકાનમાં રાખી દુષ્કર્મ બાદ દિલ્હી, પટના, ભાગલપુર લઈ ગયો હતો ઃ પીડિતાને 50 હજાર વળતર ચુકવવા નિર્દે


એકાદ વર્ષ પહેલાં સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 16 વર્ષની તરૃણીને વાલીપણાના કબજામાંથી ભગાડી જઈને સાણંદ,દિલ્હી,પટના,ભાગલપુર વગેરે સ્થળે લઈ જઈને એકથી વધુવાર દુષ્કર્મ આચરી પોક્સો એક્ટના ભંગ બદલ 22 વર્ષીય આરોપીને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકી એ તમામ ગુનામાં દોષી ઠેરવી  પોક્સો એક્ટની કલમ -5(એલ)સાથે વાંચતા કલમ-૬ તથા ઈપીકો-376(2) (જે)  (એન)ના ભંગ બદલ 20 વર્ષની સખ્તકેદ,10 હજાર દંડ ન ભરે તો વધુ છ માસની કેદ તથા ભોગ બનનારને 50 હજાર વળતર ચુકવવા નિર્દેશ  આપ્યો છે.

સચીન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી ફરિયાદી માતાએ ગઈ તા.27-1-24ના રોજ પોતાની 16 વર્ષની પુત્રીને કોઈ અજાણ્યો ઈસમ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ સચીન જીઆઈડીસી પોલીસમાં આપી હતી.જેની તપાસ દરમિયાન સચીન પોલીસે ભોગ બનનાર તરૃણી સાથે 22 વર્ષીય આરોપી મોહમદ વલીહુશેન ઉર્ફે શાહરૃખ ઉર્ફે પઠાણ મોહમદ ફારૃક મન્સુરી(રે.ફતેહપુર જિ.ભાગલપુર બિહાર)ને ભાગલપુરથી ઝડપી લીધા હતા.આરોપીએ ભોગ બનનારને સાણંદ જીઆઈડીસી ખાતે ચરલ ગામની સીમમાં વન જીરો હોમ્સના રૃમમાં રાખીને દુષ્કર્મ આચર્યું હતુ.ત્યારબાદ આરોપીએ તરૃણીને ટ્રેન મારફતે દિલ્હી,પટના,ભાગલપુર લઈ જઈને એકથી વધુવાર શારીરિક સબંધ બાંધીને પોક્સો  એક્ટનો ભંગ કર્યો હતો.

જેથી સચીન પોલીસે આરોપી મો.વલીહુશેન મન્સુરીની ઈપીકો-363,366,376(2)(જે)(એન) તથા પોક્સો એક્ટની કલમ -3એ)4,5(એલ),6ના ભંગ બદલ ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.આજરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવતાં આરોપીના બચાવપક્ષે લીગલએઈડ ડીફેન્સ કાઉન્સેલ શ્રીમતી જે.જે.સોનીએ મુખ્યત્વે ભોગ બનનારની વય સગીર હોવાનું પુરવાર ન થયાનો બચાવ લીધો હતો.વધુમાં ભોગ બનનાર ચાની હોટલ એકલી ચલાવતી હોઈ પોતે સમજદાર હોઈ આરોપી અપહરણ કરીને ભગાડી ગયાનું પુરવાર થતું નથી.સ્વતંત્ર સાક્ષીઓનો પુરાવો નથી.ટ્રેનમાં ભોગ બનનારે બુમો પાડી  બચાવવાની પેરવી કરી નથી,જેથી આરોપી વિરુધ્ધ ખોટી ફરિયાદ કરી ચાર્જશીટ રજુ થઈ હોઈ નિર્દોષ છોડવા માંગ કરી હતી.જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ જણાવ્યું હતું કે ભોગ બનનારે કોર્ટ સમક્ષના પુરાવામાં તથા સીઆરપીસી-164ના નિવેદનમાં એકસૂત્રતાવાળા સમર્થનકારી પુરાવો આપ્યો છે.ભોગ બનનાર સગીર હોવાનું તથા તબીબ સમક્ષની હીસ્ટ્રીમાં પણ ફરિયાદપક્ષના કેસને સમર્થન આપતો તબીબી પુરાવો રજુ કર્યો છે.જેથી આરોપીને મહત્તમ સજા તથા ભોગ બનનારને વળતર ચુકવવા ફરિયાદપક્ષે માંગ કરી હતી.જેને કોર્ટે માન્ય રાખી આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવી ઉપરોક્ત સખ્તકેદ તથા દંડ અને ભોગ બનનારને વળતર ચુકવવા હુકમ કર્યો છે.કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારના ગુના અટકે અને સમાજમાં બાળાઓ સુરક્ષિત રહી શકે તે જોવાની અદાલતની ફરજ હોઈ આરોપીને સજામાં પ્રોબેશનનો લાભ મળી શકે નહીં.


suratcourt

Google NewsGoogle News