અમરેલી: લાલાવદર ગામના તળાવમાં 12 વર્ષિય કિશોરનું ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ

Updated: Sep 8th, 2024


Google NewsGoogle News
Death Due To Drowning In Amreli

Death Due To Drowning In Amreli: વરસાદી માહોલ વચ્ચે નદી-તળાવમાં ડૂબવાની ઘટનાઓ પણ વધી ગઈ છે. ત્યારે અમરેલી જિલ્લાના લાલાવદર ગામના 12 વર્ષીય કિશોરનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું હોવાની ઘટના સામે આવી છે. કિશરના મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના લાલાવદર ગામના 12 વર્ષીય અર્જુન બારૈયા નામના બાળકનું તળાવમાં ડૂબવાથી મૃત્યુ નિપજ્યુ હતું. હાલમાં કિશોરના મૃતદેહને અમરેલી સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. દીકરાના મૃત્યુથી પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ પણ વાંચો: સલામત સવારી બની આફત, અમરેલીમાં ST ચાલકે મોપેડને અડફેટે લીધી, આધેડનું ઘટનાસ્થળે મોત


ઉલ્લેખનીય કે, શનિવારે (સાતમી સપ્ટેમ્બર) રાંઢીયા ગામના તળાવમાં 15 વર્ષિય પ્રકાશ સોલંકીનું ડૂબવાથી મોત નિપજ્યું છે. દહીંડા રોડ પર આવેલા તળાવમાં ન્હાવા પડતા કિશોર ડૂબ્યો હતો. સ્થાનિકોએ તળાવમાંથી કિશોરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

અમરેલી: લાલાવદર ગામના તળાવમાં 12 વર્ષિય કિશોરનું ડૂબવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ 2 - image


Google NewsGoogle News