સોનાક્ષી સિંહા -ઝહીર ઇકબાલનો બિહારમાં બહિષ્કારના પોસ્ટર લગાડવામાં આવ્યા

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
સોનાક્ષી સિંહા -ઝહીર ઇકબાલનો બિહારમાં બહિષ્કારના પોસ્ટર લગાડવામાં આવ્યા 1 - image


- શત્રુઘ્ન સિંહાની પુત્રીને બિહારમાં ઘુસવા નહીં દઇએ

મુંબઇ : સોનાક્ષી સિંહાએ બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી દીધા છે.તેમના લગ્નને સ્વીકારવામાં પણ આવી રહ્યા છે તેમજ તેમને સોશિયલ મીડિયા ટ્રોલ પણ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં પટનામાં તો હિંદુ શિવ ભવાની સેનાએ સોનાક્ષી અને ઝહિરના લગ્નને લવ જેહાદને ઉત્તેજન આપવાનો આરોપ લગાડયો છે. 

પટનામાં સોનાક્ષી સિંહા, શત્રુઘ્ન સિંહા અને ઝહીર ઇકબાલની તસવીરો લગાડવામાં આવી છે. આ પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે ,સોનાક્ષી અને ઝહીરના લગ્નથી લવ જેહારદને ઉત્તેજન મળ્યું છે. એટલું જ નહીં શત્રુઘ્ન સિંહા  પર હિંદુ ધર્મનું અપમાન કરવાનો આરોપ મુકવામાંઆવ્યો છે. શત્રુઘ્નને  જલદ ી જ પોતાના રામાયણ બંગલાનું નામ બદલી નાખવાની સુચના આપવામાં આવી છે. 

પોસ્ટર પર લખવામાં આવ્યું છે કે, સોનાક્ષી અને ઝહીરના લગ્નથી જેહાદને ઉત્તેજન મળ્યું છે. પૂરા દેશને ઇસ્લામીકરણ કરવાના પ્રયાસ છે. શત્રુઘ્ન સિંહાએ પુત્રીના લગ્ન ઇસ્લામ યુવક સાથે કરાવાનો ખોટો ફેંસલો કર્યો છે. તેણે હિંદુ ધર્મની મજાક ઉડાવી છે, તેથી તેણે પુત્રો લવ-કુશ અને રામાયણ બંગલાનું નામ ફેરવી નાખવાની પણ સૂચના આપવામાં આવી છે. સોનાક્ષી સિંહાને હિંદુ શિવભવાની સેના બિહારમાં ઘુસવા દેશે નહીં. 

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સોએ આ લગ્નને આવકાર્યા છે તો ઘણાએ સોનાક્ષીને ટેલ કરી છે. પરિણામે સોનાક્ષી અને ઝહીરે સોશિયલ મીડિયા પરના પોતાના એકાઉન્ટ બોક્સના કોમેન્ટને બંધ કરી દીધા છે. 


Google NewsGoogle News