બર્થડેની તૈયારીમાં લાગેલા 3 ચાહકોના મોત થતાં KGF એક્ટર યશ મૃતકનાં પરિવારને મળવા પહોંચ્યો

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
બર્થડેની તૈયારીમાં લાગેલા 3 ચાહકોના મોત થતાં KGF એક્ટર યશ મૃતકનાં પરિવારને મળવા પહોંચ્યો 1 - image


નવી મુંબઇ,તા. 9 જાન્યુઆરી 2024, મંગળવાર 

અભિનેતા યશને કોણ ઓળખતું નથી? સાઉથના આ એક્ટર અને સ્ટારને આજે કોઇ ઓળખાણની જરુર નથી. યશની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. KGF ચેપ્ટર 2 ની સફળતા પછી, તેઓ માત્ર કન્નડ ઇન્ડર્સ્ટ્રીમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં જાણીતા છે. ચાહકો તેમના જન્મદિવસને તહેવારની જેમ ઉજવે છે. 

સાઉથના સ્ટાર યશે 8 જાન્યુઆરીએ તેમનો 38મો જન્મદિવસ ઉજવ્યો હતો. દર વખતની જેમ તેના જન્મદિવસ પર ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા. જો કે, આ ઉત્સાહમાં ન ઘટવાનું ઘટી ગયુ અને યશના જન્મદિવસની ઉજવણી કરી રહેલાં ત્રણ ચાહકો મૃત્યુ પામ્યા હતા. 

યશના ફેન વીજળીના થાંભલા પર ચડીને યશનું કટઆઉટ લગાવી રહ્યા હતા. આ દરમિયાન 3 લોકોને વીજ કરંટ લાગ્યો અને મોત થયા હતા આ ઘટનામાં 3 ફેન ઘાયલ પણ થયા હતા. 

યશ ચાહકોના પરિવારને મળ્યો 

જ્યારે યશને તેના ચાહકના મૃત્યુની ખબર પડી ત્યારે તે નારાજ થઈ ગયો અને તેના પરિવારને મળવા કર્ણાટકના હુબલી પહોંચ્યો હતો. યશ પોતાના ફેન્સના પરિવારને મળતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યશ ફેનના પરિવારને મળીને સંવેદના વ્યક્ત કરી હતી.

ચાહકોના પરિવારને મળ્યા બાદ યશે મીડિયા સાથે વાતચીત પણ કરી હતી. આ વાતચીતમાં એક્ટરે કહ્યું કે,”આવી દુ:ખદ ઘટનાઓથી મને મારા જન્મદિવસના દિવસે ડરવા માટે મજબુર કરી દે છે.. આ રીતે ફેન્ડમ બતાવશો નહીં. કૃપા કરીને આ રીતે તમારો પ્રેમ ન દર્શાવો. હું તમને બધાને વિનંતી કરવા માંગુ છું. બેનર લટકાવશો નહીં, બાઇકનો પીછો ન કરો અને ખતરનાક સેલ્ફી પણ ન લો. હું ઈચ્છું છું, કે મારા દર્શકો અને મારા ચાહકો મારી જેમ જીવનમાં આગળ વધે.”

આ સિવાય એક્ટર આ વર્ષે પોતાના બર્થડેની ઉજવણી નથી કરી રહ્યાં જે વિશે યશે આગળ કહ્યું- ઠકોવિડના કેસ વધી રહ્યા છે તેથી આ વર્ષે હું મારો જન્મદિવસ ઉજવી રહ્યો નથી. મારા કારણે કોઇને કોઇ પણ તકલીફ ન પડવી જોઇએ. તેથી મેં મારા જન્મદિવસને સરળ રીતે અને મારા પરિવાર સાથે ઉજવવાનું નક્કી કર્યું.”

આ પણ વાંચો: 'KGF' ફેમ યશના બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી કરી રહેલા 3 યુવકોના મોત


Google NewsGoogle News