VIDEO: 17 વર્ષ બાદ શું સિનેમાનું ક્યૂટ કપલ થશે અલગ? એક્ટ્રેસે મૌન તોડ્યું

Updated: Jan 30th, 2024


Google NewsGoogle News
VIDEO: 17 વર્ષ બાદ શું સિનેમાનું ક્યૂટ કપલ થશે અલગ? એક્ટ્રેસે મૌન તોડ્યું 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 30 જાન્યુઆરી 2024 મંગળવાર

સાઉથ સુપરસ્ટાર સૂર્યા અને જ્યોતિકા દક્ષિણના સૌથી ક્યૂટ કપલ ગણાય છે. અલગ ધર્મ અને અલગ જાતિ સમુદાય હોવા છતાં આ કપલ વચ્ચે ગજબનું બોન્ડિંગ છે પરંતુ થોડા દિવસોથી આ બંનેના ડિવોર્સની ચર્ચા થઈ રહી હતી. પરંતુ હવે સ્ટાર વાઈફે એક વીડિયો દ્વારા આ અફવાઓ પર વિરામ લગાવી દીધુ છે. તાજેતરમાં જ જ્યોતિકાએ ફિનલેન્ડની પોતાની તાજેતરની યાત્રાની એક રીલ શેર કરીને સૂર્યા સાથે ડિવોર્સની અફવાઓ નકારી દીધી છે.

સૂર્યા સાથે ડિવોર્સની ખબરો પર જ્યોતિકાએ મૌન તોડ્યુ

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આર્કટિક સર્કલના મનમોહક બર્ફીલા દ્રશ્યોની વચ્ચે પોતાની યાદગાર પળોની અમુક ઝલક શેર કરી છે. જ્યોતિકાએ પોસ્ટને કેપ્શન આપ્યુ 2024- યાત્રાઓથી ભરેલુ વર્ષ. આ ઝલકને શેર કરીને સાઉથ અભિનેત્રીએ સૂર્યા સાથે તેના ડિવોર્સની અફવાઓનો જવાબ આપતા સ્પષ્ટ કર્યુ કે તેમનુ મુંબઈ જવુ સંપૂર્ણરીતે વ્યવસાયિક સંબંધિત હતુ. અભિનેત્રીને બોલીવુડમાંથી ઘણી ઓફર મળી છે.

શા માટે ચેન્નઈ છોડીને મુંબઈમાં શિફ્ટ થઈ હતી જ્યોતિકા

જ્યોતિકાએ કહ્યુ કે તેમના બાળકો મુંબઈમાં વસ્યા હતા પોતાનો અભ્યાસ કરી રહ્યા હતા તેથી કામ અને અંગત જીવન બંનેને બેલેન્સ કરવા માટે ટ્રાન્સફર એક પ્રેક્ટિકલ નિર્ણય હતો. જ્યોતિકાએ પ્રશંસકોને આશ્વાસન આપ્યુ કે તેઓ પોતાની બોલીવુડનું કામ પૂરુ થયા બાદ ચેન્નઈ પાછા ફરવાનું આયોજન કરી રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી એ અટકળો લગાવવામાં આવી રહી હતી કે એક્ટ્રેસ પોતાના પતિ સાથે અણબનાવના કારણે મુંબઈ શિફ્ટ થઈ ગઈ છે પરંતુ હવે આવી અફવા પર મૌન તોડતા જ્યોતિકાએ કપલની વચ્ચેના પ્રેમને દર્શાવ્યો છે. એક્ટ્રેસે કહ્યુ કે ડિવોર્સની આ વાતો બિલકુલ પાયાવિહોણી છે. તે માત્ર પોતાના કામના કારણે બાળકોના અભ્યાસ માટે મુંબઈ શિફ્ટ થઈ હતી પરંતુ હવે ટૂંક સમયમાં જ ચેન્નઈ જશે. 

જ્યોતિકાએ મમૂટીની સાથે 'કૈથલ: ધ કોર'માં અભિનય કર્યો છે. અભિનેત્રી હવે પોતાની મોસ્ટ અવેટેડ બોલીવુડ ફિલ્મ 'શૈતાન' માટે તૈયારી કરી રહી છે. આ એક હોરર/થ્રિલર છે જેમાં અજય દેવગણ અને આર માધવન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ગુજરાતી હિટ વશની સત્તાવાર રીમેક છે.


Google NewsGoogle News