વિવેક અગ્નિહોત્રી મહાભારત આધારિત ફિલ્મ પર્વ બનાવશે
- બોલીવુડમાં મહાભારત આધારિત વધુ એક ફિલ્મ
- મૂળ કન્નડ લેખકનાં પુસ્તક પરથી ત્રણ ભાગમાં ફિલ્મ બનાવાશે
મુંબઈ : હજુ તાજેતરમાં શાહિદ કપૂર મહાભારત પર આધારિત એક ફિલ્મ માં કામ કરી રહ્યો હોવા ના સમાચાર આવ્યા હતા. હવે કાશ્મીર ફાઈલ્સ તથા વેક્સિન વોર જેવી ફિલ્મો ના નિર્માતા વિવેક અગ્નિહોત્રી એ મહાભારત આધારિત ફિલ્મ બનાવવા ની જાહેરાત કરી છે. આ ફિલ્મ નું ટાઇટલ પર્વ હશે.
મૂળ કન્નડ ભાષા માં એસ. એલ. ભૈરપ્પા એ મહાભારત પર થી પર્વ, એન એપિક ટેલ ઓફ ધર્મા નામનું પુસ્તક લખ્યું છે. વિવેક ની ફિલ્મ આ પુસ્તક નું સ્ક્રીન એડેપ્ટેશન હશે.
વિવેક અગ્નિહોત્રી તથા તેની પત્ની અને અભિનેત્રી પલ્લવી જોશી સહિત ની ટીમે બેંગલુરૂ માં પદ્મ ભૂષણ થી સન્માનિત આ લેખક ભૈરપ્પાની હાજરી માં ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.
વિવેકે જણાવ્યું હતું કે આ ફિલ્મ નું કથાનક એટલું વિસ્તૃત છે કે તે એક કે બે ભાગ માં પણ સમાવી શકાય તેમ નથી. આથી આ ફિલ્મ કુલ ત્રણ ભાગ માં બનાવવાનું નક્કી કર્યું છે.
વિવેક ની કાશ્મીર ફાઈલ્સ સુપર. હિટ સાબિત થઈ હતી. જોકે, તેની તાજેતર માં રિલીઝ થયેલી વેક્સિન વોર ફ્લોપ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે બોલીવુડ ના જાણીતા સર્જક રાકેશ ઓમપ્રકાશ મહેરા પણ મહાભારત પર આધારિત એક ફિલ્મ બનાવી રહ્યા છે. તેમાં સાઉથ ના જાણીતા કલાકાર સુરિયા ને કર્ણ નો રોલ ઓફર કરાયો છે.
હાલ રામાયણ પર પણ ફિલ્મ બની રહી છે. તેમાં રણબીર કપૂર રામ અને સાઈ પલ્લવી સીતા ની ભૂમિકા માં છે.