આમિરની દીકરી આયરાનાં લગ્ન બાદ બે રિસેપ્શન યોજાશે

Updated: Dec 30th, 2023


Google NewsGoogle News
આમિરની દીકરી આયરાનાં લગ્ન બાદ બે રિસેપ્શન યોજાશે 1 - image


- આમિરે બોલીવૂડના અંગત મિત્રોને આમંત્રણ આપ્યું

- મુંબઈમાં મહારાષ્ટ્રીયન વિધિથી લગ્ન થશે પણ રિસેપ્શન જયપુર અને દિલ્હીમાં

મુંબઇ : આમિરની દીકરી આયરા અને નુપુર શિખરેનાં લગ્ન તા. ત્રીજી જાન્યુઆરીએ મુંબઈમાં મહારાષ્ટ્રીયન વિધિથી યોજાશે. જોકે,  લગ્ન બાદ બે રિસેપ્શન મુંબઈ નહીં પણ જયપુર અને દિલ્હીમાં યોજાય તેવી સંભાવના છે. 

એક ચર્ચા અનુસાર લગ્ન પછી રિસેપ્શન ૬થી ૧૦ જાન્યુારીની વચ્ચે દિલ્હી અને જયપુરમાં રાખવામાં આવશે. જેમાં પરિવાજનો, મિત્રો તેમજ બોલીવૂડ સેલિબ્રિટીઓ સામેલ થશે. 

આમિર ખાન બોલીવૂડના પોતાના ખાસ મિત્રોને અંગત રીતે પુત્રીના લગ્ન અને  રિસેપ્શનમાં હાજર રહેવા આમંત્રણ આપી રહ્યો છે. 

નુપુર શિખરે મહારાષ્ટ્રિયન હોવાથી આ યુગલે મહારાષ્ટ્રીયન વિધિથી જ લગ્ન કરવાનું નક્કી કર્યું છે. 

છેલ્લા કેટલાક દિવસોથી લગ્ન પહેલાંની વિધિઓ શરુ થઈ છે. સોશિયલ મીડિયા પર તેની તસવીરો પણ વાયરલ થઈ છે. જોકે, હજુ સુધી આમિર ખાન આ વિધિઓમાં સામેલ હોય તેવું સોશિયલ મીડિયા પરની તસવીરોમાં જોવા મળ્યું નથી. જોકે, આયરાની માતા રીના ઉપરાંત આમિરની બીજી ભૂતપૂર્વ પત્ની કિરણ રાવ પણ તમામ વિધિઓમાં હાજર જોવા મળી છે. 


Google NewsGoogle News