કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ચૂકી છે બાલિકા વધુની આ એકટ્રેસ

Updated: May 23rd, 2024


Google NewsGoogle News
કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ચૂકી છે બાલિકા વધુની આ એકટ્રેસ 1 - image


બોલિવૂડ અભિનેત્રીઓથી લઈને ટીવી અભિનેત્રીઓ સુધી, ઘણા લોકોએ તેમની કારકિર્દીમાં કાસ્ટિંગ કાઉચને લઈને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. હાલમાં જ પવિત્ર રિશ્તા ફેમ અંકિતા લોખંડે, મનીષા રાનીએ પણ ખુલાસો કર્યો છે. 'લાલ ઈશ્ક', 'ઝલક દિખલા જા 5', 'લાગી તુઝસે લગન' જેવા ઘણા લોકપ્રિય ટીવી શો થી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ માહી વિજે પોતાના કાસ્ટિંગ કાઉચનો અનુભવ શેર કર્યો હતો.

એક ઇન્ટરવ્યુમાં, માહી વિજે કહ્યું કે, મારા શરૂઆતના સંઘર્ષના દિવસોમાં, શૂટિંગ કોઓર્ડિનેટરે મને જુહુમાં મળવા બોલાવી હતી.

અભિનેત્રીએ જણાવ્યું કે, 'અભિનયમાં નસીબ અજમાવવા માટે દિલ્હીથી મુંબઈ શિફ્ટ થયા બાદ હુ વ્યક્તિને મળવા ગઇ. તે વ્યક્તિએ કેટલાક ફોટોગ્રાફ્સ અને પછી રેટ કાર્ડ બતાવવાનું શરૂ કર્યું. વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે કેવી રીતે તેમના ફોટોગ્રાફ્સ લગાવવામાં આવશે અને પછી રેટ કાર્ડ બનાવવામાં આવશે. તેની વાત સાંભળીને હું ચોંકી ગઈ હતી. જો કે, ઘણી બધી વાતો સાંભળ્યા પછી પણ હુ પોઝીટીવ રહી અને પૂછ્યું કે તેનો પગાર શું હશે. વ્યક્તિએ કહ્યું કે, મને ક્રુઝ પર જવાની જરૂર છે.

માહીએ વધુમાં કહ્યું કે, મારે કેવા પ્રકારનું પરફોર્મન્સ કરવાનું છે? ત્યારે વ્યક્તિ એ કહ્યું કે, મારે પરફોર્મ કરવાની જરૂર નથી કારણ કે તે રેટ કાર્ડની વાત કરી રહ્યો છે. મને યાદ આવ્યું કે, હુ અને મારી બહેન અને તે માણસની કારની પાછળની સીટ પર બેઠા હતા અને તેના સાચા ઇરાદાની જાણ થતાં જ અમે બંને ભાગી ગયા. 

અગાઉ  ઝલક દિખલાજા વિનર મનીષા રાનીએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, કેવી રીતે એક કાસ્ટિંગ કોઓર્ડિનેટરે તેને મુંબઈ આવવાનું કહ્યું કારણ કે તેની પાસે તેના માટે તક હતી. તે વ્યક્તિએ મનીષાને બિગ બોસમાં એન્ટ્રી અપાવવાનું વચન આપ્યું હતું. જોકે, મુંબઈ પહોંચીને તે વ્યક્તિએ મનીષાને મોડી રાત્રે તેના ઘરે આવવા દબાણ કર્યું, પરંતુ મનીષાએ ના પાડી હતી.


Google NewsGoogle News