નો એન્ટ્રી-ટુમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂરની ત્રિપુટી

Updated: Mar 31st, 2024


Google NewsGoogle News
નો એન્ટ્રી-ટુમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂરની ત્રિપુટી 1 - image


- મૂળ ફિલ્મના સલમાન,અનિલકપૂર અને ફરદીન ખાનને પડતા મૂકવામાં આવ્યા

મુંબઇ : બોની કપૂરે પોતાના પ્રોડકશનહાઉસની  ફિલ્મ નો એન્ટ્રી ટુની સ્ટારકાસ્ટમાં ફેરફાર કર્યો છે. જેમાં તેમણે ફ્રેશ કાસ્ટ સાથેની સ્પષ્ટતા કરી છે. જેમાં રુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂરની ત્રિપુટી જોવા મળવાની છે. 

બોનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેં મારી નો એન્ટ્રીની સીકવલમાં મૂળ ફિલ્મના અભિનેતાઓ સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને પડતા મુકી દીધા છે. નો એન્ટ્રી ટુ ફિલ્મ હવે ફ્રેશ સ્ટાર કાસ્ટ સાથે જોવા મળશે. જેમાં વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂર હશે. બોનીએ વધુમાં કહ્યું હતું કે, વરુણ અનેેર્જુન સારા મિત્રો છે. તેમની કેમેસ્ટ્રી ફિલ્મમાં પણ જોવા મળશે. મને આ સીકવલને આજના સમયને ધ્યાનમાં રાખીને બનાવવી હોવાથી મેં સ્ટારકાસ્ટમાં ફેરફાર કર્યો છે. 

નો એન્ટ્રી ટુનું શૂટિંગ આ વરસના ડિસેમ્બર મહિનામાં શરૂ થાય તેવી શક્યતા છે.તેમજ આવતા વરસે ફિલ્મના ૨૦માં જન્મદિવસ પર થિયેટરમાં રિલીઝ કરવામાં આવશે.


Google NewsGoogle News