કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા થ્રીનું શૂટિંગ આજથી શરુ થઈ જશે

Updated: Mar 9th, 2024


Google NewsGoogle News
કાર્તિક આર્યનની ભૂલભૂલૈયા થ્રીનું શૂટિંગ આજથી શરુ થઈ જશે 1 - image


- વિદ્યા બાલન અને માધુરી પણ શૂટિંગમાં જોડાશે

- મુંબઈમાં શરુ થનારાં શૂટિંગમાં નવી હિરોઈન તૃપ્તિ ડિમરી બાદમાં સામેલ થશે

મુંબઇ : કાર્તિક આર્યન, વિદ્યા બાલન અને માધુરી દિક્ષિત 'ભૂલ ભૂલૈયા ૩'નું શૂટિંગ મુંબઇમાં ૯મી માર્ચથી શરૂ કરશે. આ આઠ દિવસનું શૂટિંગ શેડયુલ હશે . તૃપ્તિ ડિમરી થોડા દિવસો બાદ તેમની સાથે જોડાશે. 

કાર્તિક માટે હવે આ ફિલ્મ વધારે મહત્વની બની ગઈ છે. તે 'આશિકી થ્રી'માં પણ કામ કરી રહ્યો હોવાની જાહેરાત અગાઉ થઈ હતી પરંતુ બાદમાં ટી સીરીઝ કંપની દ્વારા જાહેર કરાયું હતું કે તેઓ હાલ 'આશિકી થ્રી' બનાવતા નથી. 

'ભૂલ ભૂલૈયા થ્રી'થી હવે ફિલ્મોમાં બહુ ઓછી દેખાતી અભિનેત્રીઓ વિદ્યા બાલન તથા માધુરી દીક્ષિત પણ ફરી મોટા પડદે જોવા મળશે. 

છેલ્લા કેટલાય સમયથી 'ભૂલભૂલૈયા થ્રી'નાં કાસ્ટિગં વિશે અટકળો ચાલતી હતી. જોકે, બાદમાં કન્ફર્મ થયું હતું કે કાર્તિક સાથે હિરોઈન તરીકે તૃપ્તિ ડિમરીની પસંદગી કરવામાં આવી છે અને કિયારા અડવાણીએ 'ડોન થ્રી'ના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. 

તે પહેલા તબુએ પણ એકસમાન રોલના કારણે આ ફિલ્મ છોડી દીધી હતી અને તેના કારણે પહેલા ભાગની જ મંજુલિકા વિદ્યા બાલનનું પુનરાગમન થયું હતુું. 

આ વખતે  ફિલ્મમાં વધુ એક સુપર નેચરલ કેરેક્ટર ઉમેરાયું છે અને તે ભૂમિકા માધુરી દીક્ષિત ભજવી રહી છે.  ફિલ્મના બીજા અને ત્રીજા ભાગમાં કાર્તિક આર્યન મુખ્ય હિરો છે. પહેલા ભાગમાં મુખ્ય ભૂમિકા અક્ષય કુમારે ભજવી હતી.


Google NewsGoogle News