અક્ષય સાથેની ફિલ્મ કોઇની રીમેક નથી : નરેન્દ્ર હીરાવત

Updated: Aug 11th, 2024


Google NewsGoogle News
અક્ષય સાથેની ફિલ્મ કોઇની રીમેક નથી : નરેન્દ્ર હીરાવત 1 - image


મુંબઇ : નિર્માતા નરેન્દ્ર હીરાવતે અક્ષય કુમારને ફિલ્મ ત્રિરંગાની રીમેક માટે સાઇન કર્યો હોવાની વાત આવી હતી. ભૂતકાળની આ ફિલ્મમાં નાના પાટેકર અને રાજકુમારે અભિનય કર્યો હતો અને બોક્સ ઓફિસ પર એ ફિલમ હિટ ગઇ હતી. જોકે નરેન્દ્ર  હીરાવતે હવે આ બાબતે ચૂપકીદી તોડી છે. નરેન્દ્ર હીરાવતે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે,  થોડા દિવસોથી થોડા મીડિયાના રિપોર્ટમાં ઉલ્લેખ છે કે, અમે અક્ષય કુમાર સાથે ફિલ્મ ત્રિરંગાની રીમેક બનાવી રહ્યા છે. અમારે સ્પષ્ટતા કરવી છે કે આ વાત સાવ પાયાવિહોણી છે. 

નરેન્દ્ર હીરાવતે ેક રિપોર્ટમાં વધુમાં એમ પણ જણાવ્યુ ંહતુ ંકે, તેણે અક્ષય કુમારને પોતાના આગામી પ્રોજેક્ટ માટે સાઇન કર્યો છે પરંતુ એ ફિલ્મ ત્રિરંગા અથવા તો અન્ય કોઇ પણ ફિલ્મની રીમેક નથી. મારી આ ફિલ્મ ઓરિજિનલ સ્ક્રિપ્ટ પર જ આધારિત છે. આ ફિલ્મ વિશેની સત્તાવાર ઘોષણા જલદી જ કરવામાં આવશે. 


Google NewsGoogle News