સુપરસ્ટાર રજનીકાન્તના ચેન્નઈના બંગલામાં પૂરનાં પાણી ભરાયાં

Updated: Dec 9th, 2023


Google NewsGoogle News
સુપરસ્ટાર રજનીકાન્તના ચેન્નઈના બંગલામાં પૂરનાં પાણી ભરાયાં 1 - image


- સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

- રજનીકાન્ત ચેન્નઈમાં હાજર ન હતાઃ પરિવાર અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયો

મુંબઇ : ચેન્નઇમાં વાવાઝોડા મિચોંગે ભારી નુકસાન કર્યું છે. પરિણામે જન-જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે અને ઘરોમાં પાણી ભરાઇ ગયા છે. જેમાંથી રજનીકાન્તનું પોશ એરિયાનું પોએસ ગાર્ડનની આસપાસમાં આવેલું ઘર પણ બાકાત રહ્યું નથી. રજનીકાન્તના ઘરમાં પાણી ભરાઇ ગયાનો વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

જોકે,  હાલ રજનીકાન્ત ચેન્નઈમાં નથી. તે પોતાની આગામી ફિલ્મ 'થલઈવર ૧૭૦'નાં શૂટિંગ માટે  તિરુનવેલ્લીમાં  છે.  જ્યારે તેમનો પરિવાર અન્ય સ્થળે શિફ્ટ થઇ ગયો છે. ઉલ્લેખનીય છે કે ચેન્નઈના પૂરમાં અગાઉ બોલીવૂડ અભિનેતા આમિર ખાન પણ ફસાયો હતો. તે અભિનેતા વિષ્ણુ વિશાલ તથા તેની પત્ની જવાલા ગટ્ટાના ઘરે રોકાયો હતો ત્યારે પૂરમાં ફસાતાં તેણે ૨૪ કલાક પાણી તથા વીજળી વગર રહેવું પડયું હતું. બાદમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દ્વારા તેમને ત્રણેયને ઉગારી લેવામાં આવ્યા હતા.


Google NewsGoogle News