દિવ્યા ખોસલા અને ભૂષણ કુમાર વચ્ચે અણબનાવની અટકળો

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
દિવ્યા ખોસલા અને ભૂષણ કુમાર વચ્ચે અણબનાવની અટકળો 1 - image


- 18 વર્ષનાં લગ્નજીવન બાદ કડવાશ

- દિવ્યાએ પોતાની પ્રોફાઈલમાંથી કુમાર અટક કાઢી, ટી સીરીઝને અનફોલો કરી

મુંબઇ : ટી સીરીઝના માલિક ભૂષણ કુમાર અને તેમની  પત્ની તથા અભિનેત્રી દિવ્યા ખોસલા વચ્ચે કોઈ અણબનાવ સર્જાયો છે કે શું તેવી ચર્ચા થઈ રહી છે. દિવ્યા ખોસલાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટસમાં  પ્રોફાઈલમાંથી કુમાર અટક હટાવી દીધી છે અને ટી સીરીઝને પણ અનેફોલો કરી છે તેના પરથી આવી ચર્ચા થઈ રહી છે. 

દિવ્યા અને ભૂષણ કુમારે ૨૦૦૫માં લગ્ન   કર્યાં હતાં. તેમને એક પુત્ર છે. 

સોશિયલ મીડિયા યૂઝર્સના દાવા અનુસાર દિવ્યા અગાઉ પોતાનું નામ દિવ્યા કુમાર ખોસલા તરીકે લખતી હતી. પરંતુ, હવે તેના નામમાંથી કુમાર શબ્દ ગાયબ છે. 

ઉલ્લખેનીય છે કે થોડા સમય પહેલાં એક યુવતીએ ભૂષણ કુમાર પર જાતીય શોષણનો આરોપ મુક્યો હતો. ત્યારે દિવ્યા પોતાના પતિની પડખે રહી હતી. બાદમાં આ યુવતીએ પોતે ગેરસમજથી ફરિયાદ નોંધાવી હોવાનું જણાવી કેસ પાછો ખેંચી લીધો હતો. 

ભૂષણ કુમારે  પિતા ગુલશન કુમારની હત્યા બાદ ટી સીરીઝનો વારસો સંભાળ્યો છે. ટી સીરીઝ નેએક મ્યુઝિક કંપનીને બદલે હવે બોલીવૂડની  અગ્રણી ફિલ્મ નિર્માણ કંપની તરીકે સ્થાપિત કરવામાં તેમનો મહત્વનો ફાળો છે.


Google NewsGoogle News