શું અભિનેત્રીના બંને ભાઈઓ સોનાક્ષી-ઝહીરના લગ્નથી નારાજ છે? લગ્નના કોઈપણ ફંક્શનમાં જોવા મળી ન હતી

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
sonakshi sinha

Image: Facebook



Sonakshi Sinha And Zaheer Iqbal Wedding: સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલ 23 જૂને લગ્ન કરવા જઈ રહ્યા છે. ગઈકાલે કપલની મહેંદી સેરેમનીની તસવીરો પણ સામે આવી હતી. જેમાં આ કપલ પોતાના પરિવાર સાથે પોઝ આપતું જોવા મળ્યું હતું. પરંતુ આ તસવીરમાં અભિનેત્રીના ભાઈ લવ અને કુશ જોવા મળ્યા ન હતાં. જેથી લોકોએ અંદાજ લગાવ્યો છે કે અભિનેત્રીના બંને ભાઈઓ આ લગ્નથી નાખુશ છે...

છેલ્લા કેટલાક દિવસોથી સોનાક્ષી સિંહા તેના લગ્નને લઈને ચર્ચામાં છે. અભિનેત્રી મુસ્લિમ અભિનેતા ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે. જેના લીધે અફવાઓએ જોર પકડ્યુ હતું કે, અભિનેત્રીનો આખો પરિવાર આ લગ્નની વિરુદ્ધ છે. જો કે લગ્નના બે દિવસ પહેલા આ અફવાઓને પાયાવિહોણી ગણાવી હતી. સોનાક્ષી સિંહાના પિતા શત્રુઘ્ન સિંહા અને માતા પૂનમ સિંહા ઝહીર ઈકબાલ સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. 

શું અભિનેત્રીના બંને ભાઈઓ સોનાક્ષી-ઝહીરના લગ્નથી નારાજ છે? લગ્નના કોઈપણ ફંક્શનમાં જોવા મળી ન હતી 2 - image

બંને પરિવારોનું બોન્ડિંગ જોવા મળ્યું

ઝહીર ઇકબાલનું તેના સાસરિયાં અને સસરા સાથે ખાસ બોન્ડિંગ જોવા મળ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ હતી. પરંતુ હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સોનાક્ષીના ભાઈ લવ અને કુશ સિન્હા તેના અને ઝહીરના લગ્નથી નાખુશ છે. એટલા માટે તેઓએ અભિનેત્રીથી અંતર બનાવી રાખ્યું છે. સોનાક્ષીના બંને ભાઈઓ ન તો તેમની પાર્ટીમાં જોવા મળ્યા ન તો મહેંદી ફંક્શનમાં. આવી સ્થિતિમાં આ અફવાઓએ વધુ વેગ પકડ્યો છે. જો કે પરિવાર તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન 23 જૂને મુંબઈની એક રેસ્ટોરન્ટમાં થવા જઈ રહ્યા છે. જેમાં બંને સિવિલ મેરેજ કરશે. આ લગ્નમાં કપલના પરિવાર સિવાય ઘણા સેલેબ્સ પણ હાજરી આપશે.

  શું અભિનેત્રીના બંને ભાઈઓ સોનાક્ષી-ઝહીરના લગ્નથી નારાજ છે? લગ્નના કોઈપણ ફંક્શનમાં જોવા મળી ન હતી 3 - image


Google NewsGoogle News