સોનાક્ષી-ઝહીરના લગ્ન પર પિતા શત્રુઘ્ન સિન્હાએ કોને કહ્યું- તમારા કામથી કામ રાખો

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
sonakshi sinha with shatrughan sinha


Sonakshi-Zaheer Wedding: 23 જૂને સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ લહણ કરવા જઈ રહ્યા છે. આ લગ્નને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે સોનાક્ષીનો પરિવાર આ લગ્નથી ખુશ નથી અને કદાચ તેઓ લગ્નમાં પણ નહિ આવે. તેમજ એવું પણ સામે આવી રહ્યું છે કે સોનાક્ષીના મમ્મી પૂનમ સિન્હા અને ભાઈ લવ સિન્હાએ તેને સોશિયલ મીડિયા પણ અનફોલો કરી દીધી છે. જયારે હવે શત્રુધ્ન સિન્હાનું નિવેદન સામે આવ્યું છે. 

શત્રુઘ્ન સિન્હાએ દરેક સમાચારને ફેક ગણાવ્યા

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુમાં શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે, 'હું મારી દીકરીના લગ્નમાં હાજરી આપીશ અને કપલને આશીર્વાદ આપીશ.' આ ઉપરાંત અભિનેતાએ આ લગ્નને લઈને નાખુશ છે અને લગ્નમાં હાજરી નહિ આપે તેવા દરેક સમાચારને ફેક ગણાવ્યા હતા. 

શત્રુઘ્ન સિન્હા લગ્નમાં હાજરી આપશે 

આ ઉપરાંત શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, 'આ મારી લાડલી દીકરી સોનાક્ષીની જીંદગી છે, જેને હું ખૂબ જ પ્રેમ કરું છું અને હું તેના પર ગર્વ અનુભવુ છું. તે મને પોતાની તાકાત માને છે. હું લગ્નમાં ચોક્કસ હાજર રહીશ અને કેમ ન રહું, સોનાક્ષીની ખુશી મારા માટે સૌથી મહત્ત્વની છે. મારી દીકરીને તેનો જીવનસાથી પસંદ કરવાની સંપૂર્ણ અધિકાર છે. તે તેની ઈચ્છા મુજબ લગ્ન કરી શકે છે. 

કપલને આપ્યા આશીર્વાદ 

અભિનેતાએ કહ્યું કે, 'હું મારી દીકરીની તાકાત છું અને તેની સાથે કવચની જેમ ઉભો છું. સોનાક્ષી અને ઝહીરે પોતાનું જીવન સાથે વિતાવવાનું છે. તેઓ એકસાથે સારા લાગે છે.

ખોટા સમાચાર ફેલાવનારને કહ્યું- 'ખામોશ' 

શત્રુઘ્ન સિંહાએ સોનાક્ષીના લગ્ન વિશે અને સોનાક્ષી સાથેના તેમના સંબંધ વિશે કહ્યું કે, 'હું મારા સિગ્નેચર ડાયલોગથી તેમને સાવધાન કરવા માંગું છું. ખામોશ, આની સાથે તમારે કોઈ લેવા-દેવા નથી, ફક્ત તમારા કામથી કામ રાખો.'

સોનાક્ષી-ઝહીરના લગ્ન પર પિતા શત્રુઘ્ન સિન્હાએ કોને કહ્યું- તમારા કામથી કામ રાખો 2 - image


Google NewsGoogle News