સોનાક્ષી-ઝહીરના લગ્નથી ખુશ નથી માતા અને ભાઈ? લગ્નના ચાર દિવસ પહેલા ઈન્સ્ટા પર કર્યું અનફોલો!

Updated: Jun 19th, 2024


Google NewsGoogle News
sonakshi sinha
Image Twitter 

Sonakshi Sinha-Zaheer Iqbal Marriage : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નના સમાચાર હાલમાં બી- ટાઉનમાં ચર્ચાઓ છે. સોનાક્ષી તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે 23 જૂને લગ્ન કરી રહી છે. લગ્નના સમાચારો વચ્ચે સોનાક્ષીના તેના પરિવાર સાથેના સંબંધો પણ ચર્ચાનો વિષય છે. હવે Reddit પરના કરવામાં આવેલા દાવાએ બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં એવા સમાચાર આવ્યા છે કે, સોનાક્ષી સિન્હા તેની માતા અને ભાઈને ઈન્સ્ટાગ્રામ પર ફોલો નથી કરતાં. તે માત્ર તેના પિતા શત્રુઘ્ન સિંહા અને ભાઈ કુશને સોશિયલ મીડિયા પર ફોલો કરે છે.

શું માતા પૂનમ સિંહા સોનાક્ષીથી નારાજ છે?

સોનાક્ષી તેના ભાઈ લવની ઈન્સ્ટા પ્રોફાઈલમાં પણ બહેન સોનાક્ષીનું નામ નથી. આ દાવો સામે આવ્યા બાદ લોકો મૂંઝવણમાં છે,  તો આ બાજુ વિવિધ પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. જ્યારે પૂનમ સિંહાનું લિસ્ટ જોઈએ તો તે પતિ શત્રુઘ્ન સિંહા અને બે પુત્રો લવ અને કુશને ફોલો કરે છે. પરંતુ તેમની પુત્રી સોનાક્ષી સિંહાને ફોલો કરતી નથી. જોકે, હજુ સુધી એ વાતની કોઈ પુષ્ટિ થઈ નથી કે, પૂનમ અને લવ સિન્હા સોનાક્ષીને ફોલો કરતા નથી અથવા તાજેતરમાં જ તેને અનફોલો કરી દીધા છે. 

સોનાક્ષી સિન્હાના લગ્ન 23મીએ છે

સોનાક્ષીના લગ્નને લઈને હવે યુઝર્સ એનુ વિચારવા લાગ્યા છે કે, સોનાક્ષીના લગ્ન બાબચે પરિવારમાં ચોક્કસ કોઈ સમસ્યા ચાલી રહી છે. એકે યુઝરે લખ્યું છે કે, 'એવું લાગે છે કે પરિવાર સોનાક્ષી અને ઝહીરના લગ્નથી ખુશ નથી'. તો બીજાએ લખ્યું છે, 'તેની માતા કદાચ ઇન્સ્ટા પર બહુ એક્ટિવ નથી. કદાચ એટલા માટે સોનાક્ષીને ફોલો નહી નહીં કરતાં હોય. પરંતુ તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીરના લગ્નના કાર્યક્રમ 20 જૂનથી શરૂ થઈ રહ્યા છે. અને 23 જૂને લગ્ન બાદ ભવ્ય રિસેપ્શન કરવાનું આયોજન છે.  જેમાં ફિલ્મ સ્ટાર્સ પણ હાજરી આપશે.



Google NewsGoogle News