રણબીરે ગણપતિનો પ્રસાદ લેવાનો ઇનકાર કરતાં સોશયલ મીડિયાના યુઝર્સ નારાજ

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
રણબીરે ગણપતિનો પ્રસાદ લેવાનો ઇનકાર કરતાં સોશયલ મીડિયાના યુઝર્સ નારાજ 1 - image


- પોતે ડાયટીંગ કરી રહ્યો હોવાનું કહી પ્રસાદનું બોક્સ લોકોને આપી દીધું

મુંબઇ : રણબીર કપૂર હાલપોતાની આગામી ફિલ્મ એનિમલની રાહ જોઇ રહ્યો છે. તેવામાં તેનો એક વીડિયો સોશયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ગણપતિ પૂજન પછી પ્રસાદ લેવાનો ઇન્કાર કરતો જોવા મળે છે. 

મુંબઇની ટી-સીરીઝની ઓફિસમાં ગણપતી પૂજન રાખવામાં આવ્યું હતું. પૂજા પછી મહારાજે તેને પ્રસાદ આપ્યો હતો, જે રણબીરે લેવાનો ઇન્કાર કરતાં કહ્યુ ંહતુ ંકે, ડાયટ પર હોવાથી પ્રસાદ લેશે નહીં. સાથેસાથે તેણે પંડિતના હાથમાંથી પ્રસાદનો બોક્સ લઇને ત્યાં હાજર રહેલા પાપારાત્ઝીઓને  તમે લોકો ખાઇ લો કરીને આપ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે. 

આ જોઇને સોશયલ મીડિયા પર તેના માટે ટીપ્પણીઓ થઇ રહી છે. ડાયટ કરતો હોય તો પણ  પ્રસાદ તો લઇ શકાય. અન્યએકે તો લખ્યું છે કે, તેઓ ફિલ્મમાં રામનો રોલ ભજવવા તગડી ફી લઇને રાજી થઇ જાય છે પરંતુ પ્રસાદનું અપમાન કરતાં અચકાતા નથી.

Ranbir

Google NewsGoogle News