ઐશ્વર્યા અને શ્વેતા નંદા વચ્ચે સુલેહ થઈ ગઈ હોવાના સંકેત

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
ઐશ્વર્યા અને શ્વેતા નંદા વચ્ચે સુલેહ થઈ ગઈ હોવાના સંકેત 1 - image


- બંને એકબીજાને પ્રેમપૂર્વક મળ્યાં

- બહુ લાંબા સમય પછી ઐશ્વર્યા  રાય જયા તથા શ્વેતા અને  નવ્યા સાથે એક ફ્રેમમાં દેખાઈ

મુંબઇ : અમિતાભ બચ્ચનના પરિવારમાં ઐશ્વર્યા રાય બચ્ચન તથા અન્ય પરિવારજનો વચ્ચે તણાયેલી તલવારો હવે મ્યાન થઈ ગઈ હોવાના સંકેત મળ્યા છે. ઐશ્વર્યા બહુ લાંબા સમય બાદ જયા બચ્ચન, શ્વેતા નંદા તથા નવ્યા નવેલીની સાથે એક તસવીરમાં જોવા મળી હતી. તે શ્વેતા તથા અગત્સ્યને બહુ ઉમળકાભેર મળતી અને વાતચીત કરતી જણાઈ હતી.

અનંત અંબાણીનાં પ્રિ વેડિંગ ફંકશનમાંથી બચ્ચન પરિવાર મુંબઈ સાથે સાથે જ પરત ફર્યો હતો. મુંબઈ એરપોર્ટ પર શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે માધુર્ય જોવા મળ્યું હતું. તેમણે કોઈ વાત કરી હતી. ઐશ્વર્યા છેલ્લે શ્વેતાના પુત્ર અગત્સ્યને ભેટીને રવાના થઈ હતી. 

આ અગાઉ એવી ચર્ચાઓ ફેલાઈ હતી કે ઐશ્વર્યાએ બચ્ચન પરિવારનું ઘર છોડી માતા  સાથે રહેવાનું શરુ કર્યું છે. તેના અને શ્વેતા વચ્ચે અબોલા ચાલતા હોવાનું કહેવાતું હતું. પેરિસ ફેશન વીકમાં ઐશ્વર્યા તથા શ્વેતાએ એકબીજાને રુબરુમાં તથા સોશિયલ મીડિયા પર પણ ઈગ્નોર કર્યા હતાં. અમિતાભના જન્મદિવસે તથા ઐશ્વર્યાના જન્મદિવસે પણ તેમના વચ્ચે કલહ ચાલી રહ્યો હોવાનું સોશિયલ મીડિયા પોસ્ટમાં એકબીજાની ગેરહાજરી પરથી સ્પષ્ટ થયું હતું.


Google NewsGoogle News