સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાનું સૂરસૂરિયું : ચોથી વાર રીલીઝ ઠેલાઈ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ યોદ્ધાનું સૂરસૂરિયું : ચોથી વાર રીલીઝ ઠેલાઈ 1 - image


- ટિકિટબારી પર લડાઈથી 'યોદ્ધા'ને ડર

- ફિલ્મ મામૂલી પણ વકરો કરે તેવો કોઈને ભરોસો નથી: હવે માર્ચમાં રીલીઝ થશે

મુંબઇ : સિદ્ધાર્થ મલ્હોત્રાની  બે વર્ષથી બની રહેલી ફિલ્મ 'યોદ્ધા'ની રીલીઝ ડેટ ચોથી વાર પાછી ઠેલાઈ છે. 'યોદ્ધા' એવું ટાઈટલ ધરાવતી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અન્ય ફિલ્મોના મુકાબલા માટે તૈયાર નથી અને કોઈ સલામત તારીખની શોધમાં સતત ઠેલાતી રહી છે. હવે આગામી ડિસેમ્બરને બદલે માર્ચ ૨૦૨૪ની નવી તારીખ જાહેર કરાઈ છે. 

આ ફિલ્મની રીલીઝની તારીખો સતત બદલાતી રહે છે. અગાઉ તે ગત જુલાઈમાં રજૂ થવાની હતી. પછી સપ્ટેમ્બરની એક તારીખ નક્કી થઈ હતી. બાદમાં ડિસેમ્બરની આઠમી તારીખ નક્કી કરાઈ હતી. એ જ દિવસે કૈટરીા કૈફ અને વિજય સેતુપતિની 'મેરી ક્રિસમસ' રીલીઝ કરવાનું અચાનક નક્કી થયું હતું. તે વખતે પણ 'યોદ્ધા'નો નિર્માતા કરણ જોહર ભારે ચિઢાયો હતો અને તેણે સોશિયલ મીડિયા પર ભારે ઉકળાટ ઠાલવ્યો હતો કે આ રીતે એકબીજા સાથે મસલત કર્યા વિના આડેધડ રિલીઝ ડેટ નક્કી કરવી કે બદલવી એ ખોટું છે. 

બોલીવૂડ વર્તુળોમાં બધા જાણે છે કે 'યોદ્ધા' ટિકિટબારી પર કશું ઉકાળવાની નથી. સિદ્ધાર્થ મલ્હોત્રા કોઈ એવો સેલેબલ સ્ટાર નથી જેના નામે ટિકિટબારી પર ટંકશાળ પડે.


Google NewsGoogle News