શ્રુતિ હસન અને શાંતનુએ પોતે લગ્ન કરી લીધાં હોવાનું નકાર્યું

Updated: Dec 28th, 2023


Google NewsGoogle News
શ્રુતિ હસન અને શાંતનુએ પોતે લગ્ન કરી લીધાં હોવાનું નકાર્યું 1 - image


- અમને ઓળખતા નથી તેઓ અફવા ન ફેલાવે 

- શ્રુતિએ કહ્યું મારું જીવન ખુલ્લી કિતાબ છે, આટલી મોટી વાત હું શા માટે છુપાવું

મુંબઈ : શ્રુતિ હસન અને તેના બોયફ્રેન્ડ શાંતનુ હઝારિકા બંનેએ પોતે  પરણી ચૂક્યાં હોવાની વાત નકારી કાઢી છે. 

અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓના ફ્રેન્ડ ઓરીએ એક સંવાદમાં શાંતનુનો ઉલ્લેખ શ્રુતિના પતિ તરીકે કર્યો હતો. તે પછી એવી ચર્ચા ફેલાઈ હતી કે શ્રુતિ અને શાંતનુએ સિક્રેટ મેરેજ કરી લીધાં છે. શ્રુતિ અને શાંતનુ ંરિલેશનશિપમાં હોવાનું કોઈથી અજાણ્યું નથી. બંને લાંબા સમયથી લિવ ઈનમાં જ રહે છે. જોકે, તેમણે ઔપચારિક લગ્ન કર્યાં નથી. 

આ અફવા બાદ શ્રુતિએ ખુદ ખુલાસો કર્યો હતો કે તેમણે હજુ લગ્ન કર્યાં નથી. તેણે કહ્યું હતું કે મારી જિંદગી ખુલ્લી કિતાબ જેવી છે. મારી બધી વાતો જગજાહેર છે. તો પછી લગ્ન જેવી આટલી મોટી વાત હું શા માટે છુપાવું. જો લોકો અમને ઓળખતા ન હોય તે લોકો મહેરબાની કરીને શાંત રહે. 

શાંતનુએ પણ એક અલગ સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રુતિ જેવો જ ખુલાસો આપ્યો હતો અને લગ્નની અફવા નકારી કાઢી હતી. 

શ્રુતિએ વિવિધ ઈન્ટરવ્યૂમાં ક્યારેય પોતાના શાંતનુ સાથેના સંબંધ છૂપાવ્યા નથી. તે પોતાની અંગત જિંદગીની ઘણી વાતો શેર કરતી હોય છે. થોડા સમય પહેલાં તેણે એમ પણ કબૂલ્યું હતું કે પોતે એક તબક્કે દારુના રવાડે ચઢી ગઈ હતી પરંતુ હવે આઠ વર્ષથી પોતે શરાબને હાથ પણ લગાડયો નથી 


Google NewsGoogle News