સોનાક્ષીને જીવનસાથી પસંદ કરવાનો અને મરજીથી લગ્ન કરવાનો અધિકાર છેઃ શત્રુઘ્ન સિન્હા

Updated: Jun 20th, 2024


Google NewsGoogle News
સોનાક્ષીને જીવનસાથી પસંદ કરવાનો અને મરજીથી લગ્ન કરવાનો અધિકાર છેઃ શત્રુઘ્ન સિન્હા 1 - image


Sonakshi Sinha And Zaheer Iqbal Wedding: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ તેમના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. કપલના લગ્નના સમાચાર વચ્ચે તમામની નજર તેમના પરિવાર પર છે. તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સોનાક્ષી સિન્હાના પિતા શત્રુઘ્ન સિન્હાએ લગ્નમાં સામેલ થવા અંગે ખુલીને વાત કરી છે. અનુભવી એક્ટર અને રાજનેતા શત્રુઘ્ન સિન્હાએ એ તમામ ખોટા સમાચારોને નકારી કાઢ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે, શત્રુઘ્ન સિન્હા પોતાની દીકરી સોનાક્ષી સિન્હાના લગ્નમાં સામેલ નહીં થશે. 

શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, હું જલ્દી લગ્ન કરનારા કપલ સાથે તેમના મહત્ત્વના દિવસ પર સામેલ થઈશ. તેમણે કહ્યું કે, મને એ જણાવો કે, આ કોની લાઈફ છે? આ મારી એકની એક છોકરી સોનાક્ષીની લાઈફ છે અને મને મારી છોકરી પર ખૂબ ગર્વ છે અને હું તેને ખૂબ પ્રેમ કરું છું. તે મને તેની તાકાતનો સ્તંભ માને છે. હું નિશ્ચિત રીતે લગ્નમાં હાજર રહીશ. મારે એવું કેમ ન કરવું જોઈએ?. 

સોનાક્ષીની ખુશી સૌથી ઉપર: શત્રુઘ્ન સિન્હા

શત્રુઘ્ન સિન્હાએ આગળ કહ્યું કે, સોનાક્ષીની ખુશી મારા માટે પ્રથમ પ્રાથમિકતા છે અને તે પણ તેના પિતા માટે એવું જ વિચારે છે. સોનાક્ષીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અને પોતાની મરજીથી લગ્ન કરવાનો પૂરો અધિકાર છે. હું હજુ પણ મુંબઈમાં જ છું, હું અહીં માત્ર તેમની તાકાત તરીકે જ નહીં પરંતુ તેના વાસ્તવિક કવચ તરીકે પણ ઊભો છું. સોનાક્ષી અને ઝહીરે પોતાનું જીવન સાથે વિતાવવાનું છે. તેઓ એકસાથે ખૂબ સારા લાગે છે.

સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાશે

ખોટા સમાચારો અંગે શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, જે લોકો ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે તે લોકો આ ખુશીના અવસર પર ખૂબ નિરાશ લાગી રહ્યા છે. કદાચ એટલા માટે તેઓ જૂઠ ફેલાવી રહ્યા છે. હું આ લોકોને મારા સિગ્નેચર ડાયલોગથી સાવધાન કરવા માગીશ: 'ખામોશ, ઈસસે તુમ્હારા કોઈ લેના-દેના નહીં હૈ'. પ્રાપ્ત માહિતી પ્રમાણે સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે.


Google NewsGoogle News