સોનાક્ષી-ઝહીરના લગ્ન પર શત્રુઘ્ન સિન્હાનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- આજકાલના બાળકો કશું પૂછતાં નથી

Updated: Jun 11th, 2024


Google NewsGoogle News
સોનાક્ષી-ઝહીરના લગ્ન પર શત્રુઘ્ન સિન્હાનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- આજકાલના બાળકો કશું પૂછતાં નથી 1 - image


Shatrughan Sinha On Sonakshi Wedding: સોનાક્ષી સિન્હા અને તેનો કથિત બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ આ દિવસોમાં ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સમાં અનુસાર સોનાક્ષી 23 જૂને ઝહીર સાથે લગ્ન કરવાની છે. આ સમાચાર બાદ ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. જો કે, આ સમાચાર પર હજુ સુધી બંનેમાંથી કોઈએ પ્રતિક્રિયા આપી નથી. પરતું આ બાબત પર સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહાની પ્રતિક્રિયા આવી છે. 

તેણે મને આ બાબતે કશું કહ્યું નથી 

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નના સમાચાર સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયા છે. તેના ફેન્સ જાણવા માંગે છે કે શું સોનાક્ષી ખરેખર ઝહીર સાથે લગ્ન કરી રહી છે. 

જ્યારે શત્રુઘ્ન સિન્હાને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, 'હું ચૂંટણીના પરિણામો બાદથી જ દિલ્લીમાં છું. મારી હાલ તેની સાથે તેના પ્લાન બાબતે કોઈ વાત નથી થઈ. તમારો પ્રશ્ન એ છે કે શું તે લગ્ન કરી રહી છે?  જવાબ એ છે કે તેણે મને આ વિશે કશું કહ્યું નથી. હું પણ એટલું જ જાણું છું જેટલું મીડિયામાં જોયું છે. જયારે પણ તે મારી સાથે આ બાબતે વાત કરશે તો મારા આશીર્વાદ તેની સાથે છે. અમે આશા રાખીએ છીએ કે તે ખુશ રહે.'

આજકાલના બાળકો માં-બાપને ક્યાં પૂછે જ છે?

વધુમાં શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે 'મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે. તે કોઈ ખોટો નિર્ણય નહિ લે. તે પોતાના નિર્ણયો જાતે લઈ શકે છે. જ્યારે પણ તે લગ્ન કરશે, હું તેના લગ્નમાં નાચીશ. મારી નજીકના લોકો મને પૂછે છે કે આ વાતની મીડિયાને જાણ છે પણ મને કેમ નથી. તો તેના પર હું એટલું જ કહેવા ઈચ્છું છું કે આજકાલના બાળકો તેમના માતા-પિતાને પૂછતા નથી, તેઓ માત્ર આવીને કહે છે. અમે કહેવાની રાહ જોઈ રહ્યા છીએ.

સોનાક્ષી-ઝહીરના લગ્ન પર શત્રુઘ્ન સિન્હાનું ચોંકાવનારું નિવેદન, કહ્યું- આજકાલના બાળકો કશું પૂછતાં નથી 2 - image


Google NewsGoogle News