સોનાક્ષીના લગ્નમાં પોતાની હાજરી શત્રુધ્નએ કન્ફર્મ કરી

Updated: Jun 21st, 2024


Google NewsGoogle News
સોનાક્ષીના લગ્નમાં પોતાની હાજરી શત્રુધ્નએ કન્ફર્મ કરી 1 - image


- ખામોશ, હું મારી દીકરીની સૌથી મોટી તાકાત છું

- મારી દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર, લોકો પોતાના કામથી કામ રાખે

મુંબઇ : શત્રુધ્ન સિંહાએ પોતે દીકરી સોનાક્ષી સિંહાના લગ્નમાં હાજર રહેશે તેમ કન્ફર્મ કર્યું છે. તેમણે સોનાક્ષીના લગ્ન અને તેને  કારણે પારિવારિક કલહના અહેવાલો અંગે પોતાના સિગ્નેચર ડાયલોગ સાથે કહ્યું હતું કે ખામોશ, હું મારી દીકરીની સૌથી મોટી તાકાત છું. લોકો પોતાના કામથી કામ રાખે. 

શત્રુઘ્ન સિંહાએ એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, હું મારી દીકરીના લગ્નમાં ચોકક્સ જવાનો છું.  સોનાક્ષીની પોતાની જિંદગી છે. મારી દીકરી પર  મને બહુ ગર્વ છે અને હું તેને બહુ પ્રેમ કરું છું. હું તેના લગ્નમાં સો ટકા હાજરી આપીશ. 

અભિનેતાએ વધુમાં કહ્યુ ંહતું કે, મારા માટે સોનાક્ષીની ખુશી સૌથી અગત્યની છે. તે પણ પોતાના પિતા માટે આમ જ વિચારે છે. તેને પોતાનો જીવનસાથી પસંદ કરવા માટે પૂરો અધિકાર છે. હું હાલ મુંબઇમાં નથી, પરંતુ તેમની તાકાત બનીને ઊભો છું. સોનાક્ષી અને ઝાહીર હવે સાથે જીવન પસાર કરવાના છે. તેઓ સાથે બહુ સુંદર લાગે છે.

સોનાક્ષીના લગ્નના કારણે પરિવારમાં ક્લેશ હોવાની વાતો અંગે શત્રુધ્નએ  કહ્યું હતું કે અમારા પરિવારમાં ખુશીનો પ્રસંગ છે તેનાથી કેટલાક લોકોને ઓછું આવતું હોય તેમ લાગે છે.  મારે તેમને કહેવું છે કે ખામોશ, આ લગ્ન સાથે તમારે કોઈ લેવા દેવા નથી. તમે તમારાં કામથી કામ રાખો. 


Google NewsGoogle News